તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ત્યારે હવે શોમાં જેઠાલાલ મોટી મુશ્કેલીમાં ફસાયો છે.
જેઠાલાલના જીવનમાં પરેશાનીઓ વધતી જઈ રહી છે
બબીતાજી પણ જેઠાલાલથી નારાજ છે
જેઠાલાલ પર ગડા ઈલેક્ટ્રોનિક્સને બચાવવાનો સંકટ છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલના જીવનમાં તૂફાન આવી ગયું છે. જેનો સામનો કરવામાં જેઠાલાલને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે બબીતાજી પણ તેનાથી નારાજ છે અને જેઠાલાલને પોતાના ઘરેથી કાઢી મૂકે છે. હવે જેઠાલાલ પર ગડા ઈલેક્ટ્રોનિક્સને બચાવવાનો સંકટ છે. આ રીતે જેઠાલાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. પરંતુ ગોકુલધામ સોસાયટીના લોકો સતત આ તમામ મુશ્કેલીઓથી લડે છે અને સામનો કરે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની મદદ માટે એનઆરઆઈ બિઝનેસમેન આવ્યો છે. અત્યાક સુધી દર્શકો જાણી ગયા હશે કે, ગડા ઈલેક્ટ્રોનિ્કસ પર મોટી મુસીબત આવી ગઈ છે અને જો તરત પૈસાની વ્યવસ્થા ન કરવામાં આવે તો જેઠાલાલ મોટા નાણાકીય સંકટમાં આવી શકે છે. જોકે, જેઠાલાલનો પરમ મિત્ર તારક મહેતા જેઠાલાલને દરેક સંકટથી બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. આ વખતે પણ જેઠાલાલને મદદ કરવા તારક મહેતા આગળ આવ્યા છે.
તારક મહેતાના પ્લાન મુજબ ભોગીલાલ પાસેથી પૈસા પાછાં લેવામાં એનઆરઆઈ ઉદ્યોગપતિ જેઠાલાલની મદદ કરવા જઈ રહ્યો છે અને આ પ્લાનમાં સોઢીઅને ભીડે પણ સામેલ છે. આ એનઆરઆઈ ઉદ્યોગપતિ કોણ છે? શું જેઠાલાલને કોઈ ઈન્વેસ્ટર મળી ગયો છે, સોઢી અને ભીડે ભોગીલાલ પાસેથી પૈસા વસૂલવા માટે એક નવું નાટક રચશે? શું ભોગીલાલ ફરીથી જેઠાલાલને છેતરશે? શું તારક મહેતા જેઠાલાલને મદદ કરી શકશે? આ રીતે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગામી એપિસોડ્સમાં ભારે હોબાળો જોવા મળશે અને દર્શકોનું ખૂબ મનોરંજન પણ થશે.