આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં કુલપતિ નીતિન પેથાણીએ કહ્યું કે ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યું અગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોજાઈ સિન્ડીકેટ બેઠક
ભરતી પ્રક્રિયાને લઈને થઈ જોરદાર ચર્ચા
કુલપતિએ કહ્યું ભરતી રદ કરવામાં આવી છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે સિન્ડીકેટ બેઠક મળી હતી. જેમાં ઘણા મુદ્દે ચર્ચાઔ કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસતો ભરતી વિવાદનો મદ્દો ઉછળ્યો હતો જેને લઈને જોરદાર ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પ્રધ્યાપકોની ભરતી કરવી કે ન કરવી તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધ્યાપકોને રિન્યૂં કરવાને લઈ થઈ ચર્ચા
આ બેઠકમાં કરાર પૂર્ણ થયેલા પ્રાધ્યાપકને રિન્યૂ કરવા કે ન કરવા તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ભરતી કૌભાંડને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ નીતિન પેથાણીએ મોટું નિવેદન આપ્યું જેમા તેમણે જણાવ્યું કે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યુ કે સિન્ડિકેટ દ્વારા નિર્ણયને સ્વીકારી લેવામાં આવ્યો છે.
આવનારા દિવસોમાં ફરી ભરતી કરવામાં આવશે
વધુમાં કુલપતિ નીતિન પેથાણીએ કહ્યું કે આવનારા દિવસોમાં ફરી ભરતી કરવામાં આવશે. જોકે આ સમગ્ર મામલે સિન્ડીકેટના સભ્ય હરદેવસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સ્ક્રિન શોટ્સ સામે આવ્યા છે. જેના કારણે યુનિવર્સિટીની છબી ખરડાઈ છે. સાથેજ તેમણે કહ્યું કે કુલપતિના રાજીનામાની માગ ઉઠાવી જોઈએ.
કુલપતિના રાજીનામાની માગ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાએ તેમની પ્રતિક્રિયા આપતા એવુ પણ કહ્યું કે કુલપતિએ સામેથીજ રાજીનામું આપી દેવું જોઈએ. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે તપાસ સમિતિ આવી ત્યારે અમને બોલાવમાં નહોતા આવ્યા. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે કુલપતિએ મીડિયાના માધ્યમથી નામ જાહેર કરવા જોઈએ.