અપકમિંગ ફિલ્મ ‘જહાં ચાર યાર’ ના પ્રમોશન દરમ્યાન અભિનેત્રી સ્વરા ભાસ્કરે શાહરૂખ ખાન અને આદિત્ય ચોપડાને તેનુ જીવન બરબાદ કરવા પાછળ જવાબદાર ઠેરવ્યાં.
સ્વરા ભાસ્કરે આપ્યું મોટુ નિવેદન
એક ફિલ્મના પ્રમોશન દરમ્યાન આપ્યું નિવેદન
શાહરૂખ ખાને મારી લવલાઈફને બરબાદ કરી
સ્વરા ભાસ્કર અપકમિંગ ફિલ્મ ‘જહાં ચાર યાર’ને લઇને છે ચર્ચામાં
બોલીવુડ અદાકારા સ્વરા ભાસ્કર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘જહાં ચાર યાર’ને લઇને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમ્યાન અભિનેત્રીએ શાહરૂખ ખાન અને આદિત્ય ચોપડાને તેનુ જીવન બરબાદ કરવા પાછળ જવાબદાર ગણાવ્યાં છે. સ્વરાએ કહ્યું કે એકલુ રહેવુ મુશ્કેલ છે, સિંગલ લાઈફ કચરો શોધવા જેવી હોય છે.
મારી લવલાઈફને બરબાદ કરવા પાછળ શાહરૂખ અને આદિત્ય સર જવાબદાર
મીડિયાના એક રિપોર્ટ મુજબ ફિલ્મ પ્રમોશન દરમ્યાન સ્વરા ભાસ્કરે કહ્યું, મારી લવલાઈફને ખરાબ કરવા પાછળ શાહરૂખ અને આદિત્ય સર જવાબદાર છે. શાહરૂખ ખાન અને કાજોલની અને આદિત્ય ચોપડાના નિર્દેશનમાં બનેલી દિલવાલે દુલ્હનિયા લે જાએંગેમાં રોમાન્સને લઇને એક બેન્ચમાર્ક સેટ કરવામાં આવ્યો છે. મેં આ ફિલ્મને નાની ઉંમરમાં જોઈ હતી અને ત્યારથી પોતાના રાજની રાહ જોઇ રહી છુ. પરંતુ ઘણા વર્ષો બાદ મને અહેસાસ થયો કે રાજ આ દુનિયામાં હયાત નથી. ફિલ્મે રોમાન્સને અલગ રીતે બતાવ્યો છે, જે ખૂબ ખોટુ છે. જો કે, આ નિવેદન તેણે હસતા-હસતા આપ્યુ હતુ.
ઈવેન્ટ દરમ્યાન પૂજાએ જાહેરાત કરી કે સ્વરા સિંગલ છે અને ડેટ કરવા માટે તૈયાર છે. ત્યારબાદ સ્વરા તરત કહે છે કે ના આ બધુ હુ કરી ચૂકી છુ. હવે મારે આ બધુ કરવુ નથી. સ્વરા વધુમાં કહે છે કે સિંગલ રહેવુ મુશ્કેલ છે. સિંગલ લાઈફ કચરો શોધવા જેવી છે.