અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે જીવનલીલા સંકેલી દીધી. ઘોડાસર સ્મૃતિમંદિર સંકુલ ખાતે તેમના પાર્થિવ દેહને લવાશે. ગુરુવારે સવારે 7થી 8.30 વચ્ચે તેમના લાઇવ ઓનલાઇન દર્શન કરાવાશે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ હતા.
પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન
ઘોડાસર સ્મૃતિમંદિર સંકુલ ખાતે પાર્થિવ દેહને લવાશે
શ્રદ્ધાળુઓને એકત્ર ન થવા અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં. જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ઈન્ફેક્શન લાગ્યું હતું. ત્યારબાદ થોડા સમય તેમની તબિયત સારી રહી અને પછી અચાનક ફેફસામાં ઈન્ફેક્શન વધ્યું અને તેઓ વેન્ટિલેટર પર રહ્યા. તેમની કિડની પણ નિષ્ક્રિય થઇ ગઇ હતી. તેમને ડાયાલિસીસ પર રાખવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી હતી. બે દિવસ પ્લાઝમા થેરાપી આપવામાં આવી હોવા છતાં હજુ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો નથી.તેમણે સિમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને આસાપાસના વિસ્તારોમાં મોકલેલા સંતોને મણિનગર પરત બોલાવી લેવાયા હતા. જ્યારે ડોક્ટરોએ જણાવ્યું કે તેમની ક્રિટિકલ સિચ્યુએશન છે. ત્યારથી આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીના સ્વાસ્થ્યમાં સુધારો થાય માટે ભડીયાદ પીર દરગાર શરીફમાં પણ દુવા-પ્રાર્થના કરવામાં આવી હતી. .
શ્રી સ્વામિનારાયણ ગાદી હસ્તકના તમામ મંદિરોમાં છેલ્લા પાંચ દિવસથી ધૂન-પ્રાર્થના કરવામાં આવી રહી છે. તેમના દેવલોક પામ્યાના સમાચાર મળતાં હરિભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આપને જણાવી દઇએ કે, સમગ્ર રાજ્યમાં મણિનગર ગાદી સંસ્થાનના અંદાજે 401 મંદિરો છે. માત્ર અમદાવાદમાં જ મણિનગર ગાદી સંસ્થાનના 7 લાખથી વધુ હરિભક્તો છે.
અમદાવાદના મણિનગર સ્વામિ. ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પી.પી સ્વામી મહારાજે જીવનલીલા સંકેલી દીધી. ઘોડાસર સ્મૃતિમંદિર સંકુલ ખાતે તેમના પાર્થિવ દેહને લવાશે. ગુરુવારે સવારે 7થી 8.30 વચ્ચે તેમના લાઇવ ઓનલાઇન દર્શન કરાવાશે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. pic.twitter.com/xaTfFo1WWd
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 15, 2020
શ્રદ્ધાળુઓને એકત્ર ન થવા અપીલ
મણિનગર સંસ્થાન તરફથી શ્ર્દ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે કોરોનાના સંજોગોને ધ્યાનમાં રાખીનેમણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરવો નહીં. ગુરૂ શિષ્યના નાતે અંતિમ સંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી.
પી. પી. સ્વામીનું જીવન વૃતાંત
પી.પી. સ્વામીનો જન્મ કચ્છના ભારાસરમાં 1942માં 28 મેએ થયો હતો.
21 મે 1962માં પી.પી. સ્વામીને મણિનગર મંદિરમાં જ દીક્ષા અપાઇ.
પી.પી. સ્વામીએ તેમના ગુરુ મુકતજીવનદાસજીના હસ્તે દીક્ષા લીધી.
પી.પી. સ્વામીજીને તપસ્વી આચાર્ય વંશના પાંચમાં વારસદાર હતા.
તેઓ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય હતા.
પી.પી. સ્વામીની અધ્યક્ષતામાં 250થી વધુ મંદિરોનું નિર્માણ થયું.
પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી 41 વર્ષ સુધી સ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે રહ્યાં
28મી ફેબ્રુઆરી, 1979 (વિક્રમ સંવત-2035, ફાગણ સુદ બીજ), જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાએ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે સ્થાપિત કર્યા. આ ઐતિહાસિક ક્ષણ તેઓનાં સાધુ જીવનના 16 વર્ષ 11 મહિના અને 17 દિવસ બાદ આવી હતી. એટલે કે તેઓ શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે 41 વર્ષ સુધી બિરાજમાન રહ્યાં.
શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા 22મી ફેબ્રુઆરી, 2004 (વિક્રમ સંવત-2060, ફાગણ સુદ બીજ)ના રોજ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના આચાર્યપદે બિરાજિત થયાનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો હતો.
મંદિરમાં આજથી રહેશે આ પ્રતિબંધ
આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી, પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા.