પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગત સરકારમાં વિદેશ મંત્રાલયની જવાબદારી સંભાળનારા સુષ્મા સ્વરાજએ મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રીઓની શપથ પછી ટ્વિટર પર એક વિદાય સંદેશ લખ્યો.
આ સંદેશમાં સુષ્મા સ્વરાજે PM મોદીનો આભાર વ્યકત કર્યો. સુષ્મા સ્વરાજના આ સંદેશ પછી ટ્વિટર પર લોકોને પોતાની નારાજગી વ્યકત કરી છે. લોકો પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના વખાણ કરી રહ્યા છે. તમન જણાવી દઇએ કે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં સુષ્મા સ્વરાજને મંત્રીમંડળમાં જગ્યા નથી મળી.
प्रधान मंत्री जी - आपने 5 वर्षों तक मुझे विदेश मंत्री के तौर पर देशवासियों और प्रवासी भारतीयों की सेवा करने का मौका दिया और पूरे कार्यकाल में व्यक्तिगत तौर पर भी बहुत सम्मान दिया. मैं आपके प्रति बहुत आभारी हूँ. हमारी सरकार बहुत यशस्विता से चले, प्रभु से मेरी यही प्रार्थना है.
લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત પછી મોદી સરકાર 2.0એ ગુરુવારે શપથ લીધા. શપથગ્રહણ સમારોહ પછી સુષ્માએ ટ્વીટ કરીને PM મોદીનો આભાર માન્યો હતો અને કહ્યુ કે, ''પ્રધાનમંત્રીજી તમે 5 વર્ષોમાં મને વિદેશ મંત્રી તરીકે દેશવાસીઓ અને પ્રવાસીઓ તરીકે ભારતીયોની સેવા કરવાનો મૌકો આપ્યો અને પૂરા કાર્યકાળમાં વ્યકિતગત રીતે પણ સન્માન આપ્યુ છે. હુ તમારી આભારી છું. અમારી સરકાર યશસ્વિતા સાથે ચાલે તેવી પ્રભુને કામના કરીશ. ''
કેન્દ્રીય કેબિનેટમાં સુષ્મા સ્વરાજને સ્થાન ના મળતા પ્રશંસકોમાં નિરાશા ફેલાઇ ગઇ. કેટલાક લોકો જ્યાં સુષ્મા સ્વરાજને શામેલ ના કરવા પર પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યા, તો કેટલાક લોકોએ સુષ્માને મંત્રી બનાવવા માટે સોશ્યલ મીડિયા પર અભિયાન શરૂ કરી દીધુ છે. કેટલાક ફેન્સ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના વખાણ કરી રહ્યા છે અને તેમને પ્રેરણાદાયી ગણાવી રહ્યા ચે. લોકોને કોઇને કોઇ રૂપે તેમને સક્રિયતા બનાવી રાખવાની અપીલ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં રામનાથ કોવિંદે પીએમ મોદીને પદ તથા ગોપનીયતા માટે શપથ અપાવી. તમને જણાવી દઇએ કે, PMની સાથે 57 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધી. કુલ 24 કેબનિટ મંત્રી, 9 રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 24 રાજ્ય મંત્રીઓએ શપથગ્રહણ કર્યા.
ભાજપાના નેતાઓ મેનકા ગાંધી, સુરેશ પ્રભુ, જેપી નડ્ડા, રાધામોહન સિંહને આ વખતે મંત્રી બનાવવામાં આવ્યા નથી. કેબિનેટ મંત્રીઓ સિવાય રાજ્ય મંત્રી રેન્કના રાજ્યવર્ધન સિંહ રાઠોડ, મહેશ શર્મા, જયંત સિંહા, એસએસ આહલુવાલિયા, વિજય ગોયલ, કે. અલ્ફોંસ, રમેશ જિગાજિનાગી, રામ કૃપાલ યાદવ, અનંત કુમાર હેગડે, અનુપ્રિયા પટેલ, સત્યપાલ સિંહને પણ મંત્રી પરિષદમાં શામેલ કરવામાં આવ્યા નથી. જ્યારે અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતી પણ આ વખતે કેબિનેટમાં નથી. સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતી લોકસભા ચૂંટણી નથી લડ્યા.