સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ એક પછી એક ફેક્ટ સામે આવી રહ્યાં છે. તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા સાથે જોડાયેલી વાત હોય કે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે થયેલ ભેદભાવની વાત હોય, ઘણી બધી વાતો ધીમે ધીમે બહાર આવી રહી છે. ત્યારે હાલમાં જ સુશાંતના પિતાએ એક એવુ નિવેદન જાહેર કર્યુ છે કે તમે જાણીને ચોંકી જશો.
સુશાંતના પિતાના નામ પર ફેક ટ્વિટર એકાઉન્ટ
કેકે સિંઘે ફેક એકાઉન્ટને લઇને કર્યો મોટો ખુલાસો
સુશાંત માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે
સુશાંતના પિતા કેકે સિંઘના નામ પર કોઇ વ્યક્તિએ ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવ્યુ અને તેમાં તે સુશાંતના મોતને લઇને અલગ અલગ માગ કરી રહ્યાં છે. સુશાંતના મોત પર અલગ અલગ સવાલ ઉઠાવી રહ્યાં છે અને જવાબ માંગી રહ્યાં છે. આ મુદ્દે જ્યારે કેકે સિંઘ સાથે વાત થઇ તો તેમણે જણાવ્યુ હતુ કે આવા કોઇ પણ પ્રકારનું એકાઉન્ટ તેમણે બનાવ્યું નથી. સાથે જ તેમણે અપીલ પણ કરી છે કે એવી કોઇ હરકત ન કરો જેનાથી લોકોના મનમાં કોઇ ભ્રમ ઘર કરી જાય.
સુશાંતના તેરમાના દિવસે જ તેના પરિવારજનોએ છેલ્લુ નિવેદન આપી દીધુ હતું બાદમાં તેમણે કોઇ પણ પ્રકારનું નિવેદન આપ્યુ ન હતુ. બાદમાં તેમણે કોઇ મિડીયા હાઉસ સાથે પણ વાત નહોતી કરી. સાથે જ તેમણે એવુ નિવેદન આપ્યુ કે તેઓ એક ફાઉન્ડેશનની સ્થાપના કરશે જેનાથી સુશાંત જેવા ટેલેન્ટેડ લોકોને મદદ કરી શકાય.
પરિવારે એમ પણ કહ્યું કે સુશાંતના પટના વાળા ઘરને મયૂઝિયમમાં ફેરવી દેવામાં આવશે. તેની તમામ યાદોને ત્યાં સાચવીને રાખવામાં આવશે. સુશાંતને તેના પરિવારમાં ગુલશનના હુલામણા નામે બોલાવવામાં આવતો હતો.