સૂર્ય ગ્રહણની ઘટનાને વૈજ્ઞાનિક અને જ્યોતિષના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વની માનવામાં આવે છે. મહત્વનું છે કે આ વર્ષે 4 ગ્રહણ પડવાના છે. જેમાંથી બે સુર્ય અને 2 ચંદ્ર ગ્રહણ થશે.
સૂર્ય ગ્રહણની ઘટના વૈજ્ઞાનિક અને જ્યોતિષના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ
પહેલુ સૂર્ય ગ્રહણ 30 એપ્રિલે થશે, આ દિવસે શનિશ્ચરી અમાવસ્યાનો છે યોગ
આ સંયોગ લગભગ 100 વર્ષ બાદ બન્યો છે, રાખવી પડશે સાવધાની
સુર્ય ગ્રહણ મેષ રાશિમાં થવા જઇ રહ્યું છે
તો પહેલુ સૂર્ય ગ્રહણ 30 એપ્રિલે થઇ રહ્યું છે. જે ભારતમાં માન્ય નહીં થાય અને તેમજ તેના સુતક પણ માન્ય નહીં થાય. આ ગ્રહણ શનિવારે મેષ રાશિમાં થવા જઇ રહ્યું છે. આ સાથે શનિશ્ચરી અમાવસ્યાનો પણ યોગ બની રહ્યો છે. જ્યોતિષના દ્રષ્ટિકોણથી સુર્યગ્રહણ અને શનિ અમાવસ્યાનો એક દિવસ આવે છે તેને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણકે આ સંયોગ લગભગ 100 વર્ષ બાદ બન્યો છે. શનિદેવ ગ્રહોના રાજા સૂર્યના પુત્ર છે, પરંતુ બંનેની વચ્ચે શત્રુતાનો ભાવ છે. તેથી આ ગ્રહણના સમયે અમુક સાવધાની રાખવી પડશે.
ગ્રહણના સમયે કરો આ કામ
ગ્રહણના સમયે વ્યક્તિએ ભગવાનનુ કિર્તન, ભજન અને મનમાં જાપ કરવા જોઈએ. આવુ કરવાથી પૂજા-પાઠનુ ડબલ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે ગ્રહણના સમયે અન્ય અથવા કોઈ અન્ય ચીજ વસ્તુઓ ના ખાવી જોઈએ.
આ કામ કરવાથી પિતૃદેવ થઈ શકે છે નારાજ
ગ્રહણના સમયે મનને શાંત રાખીને બધા કાર્ય કરવા જોઈએ. આ સાથે પરિવારના બધા સભ્યોને શાંતિપૂર્વક રહેવુ જોઈએ. આ સાથે એકબીજા સાથે અથવા બહાર પણ કોઈ ઝગડો ના કરવો જોઈએ. આવુ કરવાથી પિતૃદેવ નારાજ થાય છે.