રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના પ્રમાણને વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે હવે રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાએ નહી જતા બાળકોનો સર્વે કરવામાં આવશે.
4થી 15 ડિસેમ્બર દરમિયાન રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા ઝુંપડપટ્ટી રેલ્વે સ્ટેશન બસ સ્ટેન્ડ ધાર્મિક સ્થળો સિનેમાગૃહની આસપાસના વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
આ મોનીટરિંગમાં શાળા બહારનુ બાળક મળશે તો અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે RTE એક્ટ હેઠળ આ કામગીરી હાથ ધરાશે.