સુરેશ રૈનાએ IPL2020ને અલવિદા કહી દીધુ અને ચેન્નઇ સુપર કિંગ્ઝને છોડીને ભારત પરત ફર્યા છે. રૈના શા કારણ પાછા આવ્યા તેને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે ચેન્નઇ સુપર કિંગ્ઝના વેરિફાઇડ અકાઉન્ટથી કહેવામાં આવ્યુ હતુ કે તે વ્યક્તિગત કારણોને કારણે પરત ફર્યા છે જ્યારે ટીમના માલિક શ્રીનીવાસે કંઇક અલગ જ કારણ આપ્યુ હતું.
સુરેશ રૈનાના ભાઇનું પણ મૃત્યુ
પઠાણકોટમાં થયો આ હુમલો
સુરેશ રૈનાએ પોલિસને કરી ફરિયાદ
રૈનાએ આ અટકળો વચ્ચે પંજાબ પોલિસને ટ્વિટ કરીને અપીલ કરી છે કે મારા પરિવાર સાથે જે પણ કંઇ થયુ તે ભયાનક કરતા વધારે બિહામણુ હતું. મારા કાકાની તે જ સમયે મોત થયુ હતું, મારા ફઇબા અને કઝીનને ગંભીર ઇજાઓ થઇ છે. દુર્ભાગ્ય અમારુ કે મારા ભાઇનું પણ મૃત્યુ થયુ છે. મારા ફઇબા પણ જીવન મરણ વચ્ચે જોલા ખાય છે.
What happened to my family is Punjab was beyond horrible. My uncle was slaughtered to death, my bua & both my cousins had sever injuries. Unfortunately my cousin also passed away last night after battling for life for days. My bua is still very very critical & is on life support.
રેનાએ કહ્યું કે હજૂ સુધી મને ખબર નથી પડી કે તે રાત્રે શું થયુ હતું, હું પંજાબ પોલિસને અપીલ કરુ છુ કે આ કેસને તપાસવામાં આવે. અમે તે જાણવાનો હક તો રાખીએ છીએ કે આ કામ કોણે કર્યું. અપરાધીઓને વધુ અપરાધ માટે ખુલા ન છોડવા જોઇએ.
Till date we don’t know what exactly had happened that night & who did this. I request @PunjabPoliceInd to look into this matter. We at least deserve to know who did this heinous act to them. Those criminals should not be spared to commit more crimes. @capt_amarinder@CMOPb
સુરેશ રૈનાના પરિવારજનો પર પઠાણકોટમાં હુમલો થયો હતો. કથિત રીતે આ હુમલો 19 ઓગસ્ટની રાત્રે થયો. જ્યારે પરિવાર ધાબે સૂતો હતો ત્યારે કેટલાક હુમલાવરોએ હુમલો કર્યો હતો. ઘાતક હથિયારો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં સુરેશ રૈનાના ફઇબા આશા દેવી ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે તેમના પતિ અશોક કુમારની મોત થઇ છે.
ધોની સાથે વિવાદના આવ્યા હતા ન્યૂઝ
સુરેશ રૈના કેમ ભારત પરત આવ્યો તેને લઇને અટકળો શરૂ થઇ ગઇ છે. પહેલા કહેવામાં આવ્યુ હતુ કે પઠાણકોટમાં સુરેશના પરિવાર પર હુમલો થતા તે પરત ફર્યા છે તો હવે તેવી અફવાઓ સામે આવી રહી છે કે સુરેશ રૈનાને ધોની જેવો રૂમ ન મળતા ભારત પરત ફર્યા છે.
રિપોર્ટ મુજબ ચેન્નઇ સુપર કિંગ્ઝના માલિક એન. શ્રીનિવાસે સુરેશ રૈનાને લઇને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રૈના ખરાબ હોટલ રૂમ અને કોરોનાના ડરને લીધે ભારત પરત આવ્યા છે. ખરાબ રૂમને લઇને ધોની સાથે તેમનો વિવાદ થયો હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.