સુરેન્દ્રનગરના વઢવાણમાં પરણિતા રોકડ અને દાગીના સાથે ભાગીને બીજા યુવક સાથે લગ્ના કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ મહિલાને તેના પરિવાજનોએ જ બીજા યુવક સાથે પરણાવી દીધી છે ત્યારે હવે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનુ છે કે 7 વર્ષ મુકેશભાઈના લગ્ન ધ્રાંગધ્રામાં રહેતી યુવતી શર્મિલા બેન સાથે થયા હતા. આ દંપતિને 2 બાળકો પણ છે.
લગ્નના 7 વર્ષ બાદ યુવતી તેના પતિને છોડીને પીયરમાં ગઈ હતી. પતિએ પત્નીને બોલાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ પત્ની પરત ફરી ન હતી.ત્યારબાદ મુકેશભાઈ તેના પિયરમાં પહોંચ્યા હતા અને ત્યા તેમને જાણવા મળ્યુ કે તેમની પત્નીની તેના જ પરિવારજનોએ લગ્ન બીજા યુવક સાથે કરાવ્યા છે.
આ ઘટનાને પગલે ભોગ બનનાર મુકેશભાઈએ પત્ની અને તેના પરિવારજનો પર 1.20 લાખ રૂપિયા લઈને ફરાર થવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુકેશભાઈની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.