સુરતઃ થોડા દિવસ અગાઉ થયેલી 20 કરોડના હીરાના લૂંટના કેસમાં સુરત પોલીસને સફળતા મળી છે. હીરાના લૂંટારૂઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. આ બાબતે સુરત પોલીસ કમિશ્નર પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. તો DGPએ સુરત પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે.
મહત્વનું છે કે કતારગામ અનાથ આશ્રમ નજીક લૂંટારૂઓ 20 કરોડના હીરીની લૂંટ કરી ફરાર થયા હતા. તમામ હીરા માર્કેટમાં ચકચાર મચી જવા પામી હતી. આટલી મોટી લૂંટ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી.
કતારગામના ભીડભાડવાળા વિસ્તારમાં ભરબજારે બે-ત્રણ લૂંટારૂઓ 20 કરોડના હીરાની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સીસીટીવીમાં લૂંટારૂઓ બેગ લઈ ભાગતા દેખાઈ આવ્યા હતા. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાતા અંતે સુરત પોલીસને મોટી સફળતા મળી છે. હીરાના લૂંટારૂઓ હાલ પોલીસના સકંજામાં આવી ગયા છે.