સુરતના કીમ ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કીમ ચાર રસ્તા પાસે સિયાલજ પાટિયા પર ટ્રક ચાલકે કાવડિયાઓને ઉડાવ્યા હતા. આ ઘટનામાં એક કાવડિયાનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો.
સમગ્ર ઘચના વિશે જણાવીયે તો ભરૂચ નર્મદા નદીમાંથી કાવડ ભરીને પરત સુરત તરફ ફરી રહ્યા હતા. આ દરમિયાન સિયાલજ પાટિયા પાસે અકસ્માત થયો હતો.
આ ઘટના બાદ કાવડિયાઓમાં રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા 500 જેટલા કાવડિયાઓએ હાઈવ પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટના બાદ ઘટનાસ્થળેથી મૃતદેહ હટાવવાનો કાવડિયાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા DYSP LCB SOGનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.