સુરતના મોટા વરાછા વિસ્તારમાં નિર્માણાધીન કેદાર હાઈટ્સની ભેખડ ધસી પડતા 5થી વધુ શ્રમિક દટાયા હતા. હાલ રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.
નિર્માણાધીન ઈમારતની ભેખડ ધસી પડી
સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના
5થી વધુ શ્રમિક દટાયા,4નું મૃત્યુ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં નિર્માણાધીન કેદાર હાઈટ્સની ભેખડ ધસી પડી હતી. નિર્માણાધીન ઈમારતની ભેખડ ધસી પડતા 5થી વધુ શ્રમિક દટાયા હતા. જેમાંથી વધુ બે શ્રમિકના મૃતદેહ બહાર કઢાયા છે. દુર્ઘટનામાં મૃત્યુઆંક 4 થયો છે. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી છે.
ત્યારે કેટલાક સવાલ થાય છે કે મજીવીઓના જીવ સાથે આવી બેદરકારી ક્યા સુધી? શું કોન્ટ્રાક્ટરો સામે એક્શન લેવાશે? શ્રમિકના મોત માટે જવાબદાર કોણ? શા માટે નિર્માણાધીન ઈમારતમાં શ્રમિકોના સાવચેતીનું ધ્યાન નથી રખાતું? વારંવાર આવી ઘટનાઓ બને છે છતાં ઉદાસીનતા કેમ દાખવવામાં આવે છે?