સુરતઃ ગુજરાતનાં સુરતમાં રવિવારનાં રોજ ધૂમધામથી એક જાન નિકાળવામાં આવી. આ જાનમાં બેંડબાજા સાથે લોકો નાચતા-ગાતા એક ઘરમાં પહોંચ્યાં હતાં. ઘરને ફુલો અને લાઇટોથી સજાવવામાં આવ્યું. એમાંય ખાસ બાબત તો એ છે કે જાનમાં સાથે ચાલી રહેલ બગીમાં વરરાજા નહીં પરંતુ બે બાળકીઓ હાજર હતી અને આ જાન કોઇ વહુને પરણાવવા નહીં પરંતુ નવજાત બાળકીઓને તેઓનાં ઘરે લઇ જવા માટે નિકાળવામાં આવી.
બેન્ડ-બાજા સાથે મહેમાનોએ મચાવી ધૂમઃ
ટ્રાવેલ ફર્મ ચલાવનાર આશીષ જૈનની પત્ની પ્રિયમે જુડવા બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીઓનાં જન્મ બાદ પ્રિયમ હોસ્પિટલથી પોતાનાં પિયરે ચાલી ગઇ. રવિવારનાં રોજ બાળકીઓને ઘરે લાવતા પહેલાં તેઓએ પોતાનાં ઘરને જાણે કે કોઇ લગ્ન સમારોહ હોય તેમ સજાવી નાખ્યું. આ આયોજનમાં સંબંધીઓ અને મહેમાનોને બોલાવવામાં પણ આવ્યાં. બાળકીઓને માટે તૈયાર કરેલ અને સજાવવામાં આવેલ બગીમાં ઘર સુધી લાવવામાં આવી. આ દરમ્યાન રસ્તામાં બેન્ડ-બાજાનાં સંગીત પર સંબંધીઓ ધૂમથી નાચતા પણ જોવા મળ્યાં.
15 લાખ રૂપિયા જશ્નમાં કર્યા ખર્ચઃ
આશીષે જણાવ્યું કે તેઓને બે બાળકીઓ મળી છે. હવે તેઓને અન્ય કોઇ જ બાળક નથી જોઇતું. તેઓએ કહ્યું કે, લગભગ પુત્રનાં હોવા પર જેટલી ખુશી નથી મળતી તેટલી ખુશી તો મને બે બાળકીઓનાં પિતા બનવા પર થઇ છે. તેઓએ બાળકીઓનાં આ જશ્નમાં 15 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. તમામ મહેમાનોને માટે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું. આશીષે કહ્યું કે, તેઓ એટલાં ખુશ છે કે પોતાની ભાવનાઓને તો તેઓ શબ્દોમાં પણ વ્યક્ત નથી કરી શકતાં.