કિરણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યાના અડધા કલાક બાદ બાળકીઓ મૃત્યુ પામી હતી અન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીઓનું મૃત્યુ થયું હતુ. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ.
સુરતની કિરણ હોસ્પિટલની બેદરકારી સામે આવી
2 વર્ષની જીવીત બાળકીને મૃત જાહેર કરી
મૃત બાળકી હકીકતે જીવીત હતી
સુરત કતારગામ કિરણ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. હોસ્પિટલે 2 વર્ષની જીવીત બાળકીને મૃત જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે. કેમ કે, મૃત જાહેર કર્યાના અડધો કલાક બાદ અન્ય હોસ્પિટલમાં બાળકીઓનું મૃત્યુ થયુ હતુ. જ્યારે કિરણ હોસ્પિટલે બાળકીને મૃત જાહેર કરી અને ડિસ્ચાર્જ આપી દીધુ હતુ.
બાળકીને 19 ડિસેમ્બરના કિરણ હોસ્પિટલ ખસેડાય હતી જ્યાં કિરણ હોસ્પિટલે રાત્રે 10 વાગ્યે બાળકીને મૃત જાહેર કરાઇ. સિવિલમાં રાત્રે 11.20 વાગ્યે બાળકીનું હ્રદય ચાલી રહ્યું હતું. ઇન્ટરનલ હેમરેજથી બાળકીના હ્રદયમાં લોહી જામી જતા મૃત્યુ થયુ હતુ. અરવિંદ પાંડવની 2 વર્ષની પુત્રી દાદરા પરથી પટકાઇ હતી જેને પગલે દાદરા પરથી પટકાતા કિરણ હોસ્પિટલના દાખલ કરાઇ હતી.