સુરતના હીરાનો ઉપયોગ અત્યાર સુધી જ્વેલરી માટે થતો હતો. પરંતુ સુરતના હીરાથી દિલની સફાઈ એટલે હૃદયની નળીના બ્લોકેજ દૂર કરવામાં આવી રહ્યા છે. જે લોકોના હૃદયની નળીમાં કેલ્શિયમનો ગઠ્ઠો જામી જવાથી હાર્ટ એટક આવે ત્યારે સાચા હીરા સ્ટડેડ રોટાબ્લેટર મશીનનો ઉપયોગ કરીને નળીની સફાઈ કરવામાં આવે છે.
ડોક્ટરે કર્યો નવતર પ્રયોગ
હીરો કરે કર દિલથી બન્યો હીરો
હીરો કરે છે હૃદયની સારવાર
જે રીતે જ્વેલરીમાં હીરાને જડવામાં આવે છે. તે જ રીતે મશીનની આગળના ભાગમાં હીરાને જડવામાં આવ્યા હોય છે, જે બ્લોક નળીને સાફ કરી દે છે. સુરતના હીરા માત્ર જ્વેલરી જ માટે ઉપયોગી નથી, હવે આ સાચા હીરા દિલની સફાઈ માટે પણ વરદાન બની ગયા છે. સુરતના હીરા અને સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ હૃદયના અસાધ્ય બની ગયેલા નળીના બ્લોકેજને હીરાથી સાફ કરી રહ્યા છે. ડો. અતુલ અભ્યંકર એક રત્નકલાકારની જેમ સાચા હીરાને એક ડ્રિલ મશીન પર જડે છે અને આ ડ્રિલ મશીન સીધુ દર્દીના હૃદય સુધી જાય છે અને સામાન્ય બ્લોકેજ દુર કરે છે.
100 વ્યક્તિઓને હાર્ટ એટેક આવે એમાંથી 4 વ્યક્તિઓને નળીમાં કેલ્શિયમ જામી જાય છે. આ કેલ્શિયમને હટાવવા માટે આ રિયલ ડામયંડ સ્ટડેડ રોટા બ્લેટર સિસ્ટમનો ઉપયોગ કરાય છે. નળીમાં કેલ્શિયમ વધારે હોય ત્યારે એન્જિયોપ્લાસ્ટિકથી અંદર બલૂનથી ફુલાવવામાં આવે છે. ત્યારે પથ્થર જેવું થઈ ગયું હોવાથી બલૂન ફુલતા નથી અથવા તેના પર પ્રમાણ કરતાં વધારે પ્રેશર નાંખવામાં આવે તો નળી અથવા બલૂન ફાટી જવાની ભય પણ હોય છે.
ત્યારે આવા સમયે રોટા બ્લેટરનો ઉપયોગ કરાય છે. હીરો વિશ્વનો સૌથી કઠોર પથ્થર ગણાય છે. જ્યારે હાર્ટમાં કેલ્શિયમ જામી જાય ત્યારે એ પથ્થર જેવો સખત થઈ જાય છે. એટલે તેને હટાવવા માટે આ મશીનના ઉપયોગ કરવામાં આવે છે.