સુરતઃ શહેરમાં આરોગ્ય વિભાગે એક મોટું મેગા ઓપરેશન હાથ ધર્યું છે. 5 ઝોનમાં ફૂડ સેફટી વિભાગે કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગે કાર્યવાહી કરતાં 22 પાણીનાં પ્લાન્ટ સીલ કર્યા છે. આ અગાઉ નોન BSI પ્લાન્ટને અગાઉ નોટીસ આપી હતી પરંતુ નોટીસ બાદ પણ પ્લાન ચાલુ રાખતાં તેમને સીલ કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અહીંનું પીવાનું પાણી બોટલ મારફતે આસપાસનાં વિસ્તારો સુધી પહોંચાડવામાં આવતું હતું. સુરતમાં 22 પ્લાન્ટ આવેલાં છે કે જેની પાસે BIS સર્ટિફિકેટ ન હોવાનાં કારણે એટલે કે રાજ્ય સરકાર દ્વારા પાણીની ગુણવત્તા માટે જે BIS સર્ટિફિકેટ આપવામાં આવે છે તે BIS સર્ટિફિકેટ ન હોવાંને કારણે આ તમામ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યાં છે.
આ તમામ પ્લાન્ટ પાસે BIS સર્ટિફિકેટ નહીં હોવાનાં કારણે સુરત મહાનગરપાલિકાની અંદર પાંચ ઝોન આવેલાં છે જેમાં ઉધના લિંબાયત વરાછા કતારગામ અને રાંદેલ આ પાંચેય ઝોનની અંદર જે પણ BIS સર્ટિફિકેટ વગરનાં પ્લાન્ટ આવેલાં છે તેને સીલ કરી દેવામાં આવ્યાં છે.
જો કે પહેલાં પણ આ પ્લાન્ટોને અગાઉ નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેઓએ BIS સર્ટિફિકેટ રજૂ ન કરતા તેઓનાં પ્લાન્ટ સીલ કરી દેવામાં આવ્યાં છે. જો કે આ અંગે હજી પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.