સુરતમાં આરોપી ઓમપ્રકાશના કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસે સિવિલ હોસ્પિટલના CCTV લીધા છે. પોલીસે દસ્તાવેજ અને પુરાવા પણ મેળવ્યા છે. આ મામલે 8 પોલીસકર્મીઓ સામે ફરિયાદ થઈ છે. માર મારનાર 8 પોલીસકર્મીઓ હજી પણ ફરાર છે.
મહત્વનુ છે કે, ઓમપ્રકાશને પોલીસકર્મીઓ ચોરીના ગુનામાં પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓએ ઓમપ્રકાશને માર માર્યો હતો. આ મામલે પોલીસ ઈન્સપેક્ટર મોહન ખીલેરી સહિત આઠ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાને 10 દિવસ થયા બાદ પણ હજી સુધી આરોપીઓ ફરાર છે.