સુરતના પાંડેસરા વિસ્તારમાં બુટલેગરની હત્યાની ઘટના સામે આવી છે. પાંડેસરાના પીયૂષ પોઈન્ટ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાથી અજાણ્યા શખ્સોએ બુટલેગર પર હુમલો કર્યો હતો.અંગત અદાવતને લઈને બુટલેગર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.
આ ઘટનામાં બુટલેગર ઈજાગ્રસ્ત થયો હતો. જાગ્રસ્ત બુટલેગરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન બુટલેગરનુ મોત થયું છે. આ ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત મોડી રાતે જીવલેણ હુમલો કરાયો હતો. અજાણ્યા શખ્સો દ્વારા તલવાર છરા સહિત ઘાતક હથિયારોથી કોઇ અગમ્ય કારણોસર બુટલેગર પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલાની ઘટનામાં બુટલેગર ઘાયલ થતાં તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થતાં મામલો ગરમાયો હતો.