સુરતઃ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ બાદ હવે સુરતને પણ ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે હવે સુરતથી વિદેશની ફ્લાઈટ શરૂ થશે. સુરતથી શારજહા વચ્ચે પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટનો પ્રારંભ થશે. 16 ઓગસ્ટથી સુરતથી શારજહા વચ્ચે પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટની શરૂઆત થશે. એરઈન્ડિયા દ્વારા ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી છે.
આ મામલે રાજ્ય સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. બજેટમાં સુરત એરપોર્ટના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ માટે ફાળવણી કરી છે.
ઉલ્લખેનીય છે કે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મામલે આંદોલન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એરપોર્ટની માગ કરવામાં આવી રહી હતી. સુરત એરપોર્ટ એક્શન કમિટી સહિતના અન્ય લોકો દ્વારા હડતાળ કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એક્શન કમિટી લડત ચલાવી રહી હતી. ત્યારે હાલ સુરત એરપોર્ટને પણ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે હવે સુરતથી પણ વિદેશની ફ્લાઈટ શરૂ થશે.