અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકાર અને ચૂંટણી પંચે આ 'રેવડી કલ્ચર' પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ
સુપ્રીમ કોર્ટમાં રેવડી કલ્ચર અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી શરૂ
અમે દેશના ભલા માટે સુનાવણી કરી રહ્યા છીએ: CJI એન વી રમના
અગાઉ પણ સુપ્રીમે સરકાર અને ચૂંટણી પંચને રેવડી કલ્ચર પર વિચાર કરવા કહ્યું હતું
સુપ્રીમ કોર્ટમાં હાલ ચૂંટણી દરમ્યાન રેવડી કલ્ચર અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી છે. મંગળવારે સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, રેવડી કલ્ચર એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જેના પર આ ચર્ચાની જરૂર છે. મહત્વનું છે કે, અગાઉ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકાર અને ચૂંટણી પંચે આ 'રેવડી કલ્ચર' પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટના CJI એન વી રમનાએ કહ્યું કે, ધારો કે કેન્દ્ર એવો કાયદો બનાવે કે રાજ્યો વસ્તુઓ મફતમાં ન આપી શકે, તો શું આપણે કહી શકીએ કે આવો કાયદો ન્યાયિક તપાસ હેઠળ નહીં આવે ? વાસ્તવમાં દેશના ભલા માટે સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને સાંભળી રહી છે. સર્વોચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામીણ ગરીબી સાથે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિ માટે મફત વસ્તુ મળવી એ મહત્વપૂર્ણ છે. પણ અહી નક્કી એ કરવાનું છે કે, મફત શું છે અને લોકોનું કલ્યાણ શું છે ?
અગાઉ સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું ?
દેશભરમાં ચૂંટણી જીતવા માટે વધી રહેલા 'રેવડી કલ્ચર'નો અંત લાવવા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે અગાઉ દેશ આપતા કહ્યું છે કે, આ ગંભીર મુદ્દો છે. ચૂંટણીપંચ અને સરકાર તેનાથી દૂર રહી શકે નહીં અને અવું પણ ન કહી શકે કે તેઓ કંઈ કરી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકાર અને ચૂંટણી પંચે આ 'રેવડી કલ્ચર' પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ.
તમને જણાવી દઈએ કે, દેશભરમાં ચૂંટણી પહેલા દરેક રાજકીય પાર્ટીઓ જનતાને પોતાની તરફેણમાં બનાવવા માટે ઘણી લોકપ્રિય જાહેરાતો કરે છે. તેને સામાન્ય ભાષામાં 'રેવડી કલ્ચર' કહે છે. સુપ્રીમ કોર્ટે 'રેવડી કલ્ચર'નો અંત લાવવા માટે નિષ્ણાત સંસ્થાની રચના કરવાની હિમાયત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, તેમાં કેન્દ્ર, વિપક્ષી રાજકીય પક્ષો, ચૂંટણી પંચ, નીતિ આયોગ,આરબીઆઈ અને અન્ય હિસ્સેદારોનો સમાવેશ થવો જોઈએ.