આગામી ૧૦ દિવસ ભારત માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય દૃષ્ટિથી ખૂબ જ મહત્ત્વના છે. ૪ નવેમ્બરથી આગામી ૧૦ દિવસમાં સુપ્રીમ કોર્ટ ચાર મોટા કેસની સુનાવણી કરશે. તેમાં જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી બેન્ચ અયોધ્યા ભૂમિ વિવાદ સહિત અન્ય કેસ પર સુનાવણી કરશે.
10 દિવસમાં 4 કેસમાં આવી શકે છે ચૂકાદો
ચીફ જસ્ટિસ ગોગાઇ ત્રણ અન્ય બેન્ચની અધ્યક્ષતા કરી રહ્યા છે
આગામી ૧૦ દિવસ ભારત માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય દૃષ્ટિથી ખૂબ જ મહત્ત્વના
આ ઉપરાંત શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ, ચીફ જસ્ટિસ ઓફિસને આરટીઆઇ હેઠળ લાવવું અને રાફેલ લડાકું વિમાનોની ખરીદીમાં સરકારને ક્લીનચિટ આપવા અંગેના કેસ પર સુપ્રીમ કોર્ટ ફેંસલો સંભળાવશે.
અયોધ્યા કેસ ૧૮૫૮થી દેશના સામાજિક અને ધાર્મિક બાબતોનું મહત્ત્વનું બિંદુ રહ્યો છે. તેના પર ૧૮૮૫થી કેસ ચાલી રહ્યો છે. આ વિવાદના લાંબા ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે.
ચીફ જસ્ટિસ ગોગાઇ ત્રણ અન્ય બેન્ચની અધ્યક્ષતા કરી રહ્યા છે, જે શબરીમાલા ઐયપ્પા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની અનુમતિ આપવાના સુપ્રીમના નિર્ણયની સમીક્ષા અરજી પર ફેંસલો સંભળાવશે. આ સિવાય રાફેલ સોદામાં સરકારને ક્લીનચિટ આપવાના નિર્ણય અને સીજેઆઇને આરટીઆઇના દાયરામાં લાવનારી અરજી પર પણ ચુકાદાની રાહ છે.
અયોધ્યા કેસને લઇને અટકળો લગાવાઇ રહી છે કે પાંચ જજની બેન્ચ એક સર્વસંમત ફેંસલો કેવી રીતે આપી શકશે. એ પ્રકારનો મુદ્દો જેને હિંદુ અને મુસ્લિમોને વિભાજિત કર્યો તે એકમત થશે તો તેનું સ્વાગત કરાશે, કેમ કે તે કોઇ પણ પ્રકારે અસ્પષ્ટતાને દૂર કરશે.
વર્ષ ૧૯૩૪માં અયોધ્યામાં એક સાંપ્રદાયિક રમખાણોમાં બાબરી મસ્જિદના ત્રણ ગુંબજને ક્ષતિગ્રસ્ત કરાયા હતા. ત્યાર બાદ શહેરમાં રહેનારા હિંદુઓને દંડ ફટકારીને અંગ્રેજોએ તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
૨૨ ડિસેમ્બર, ૧૯૪૯ની અડધી રાત્રે રામ લલ્લાની મૂર્તિને કેન્દ્રીય ગુંબજમાં રાખ્યા બાદ વિવાદિત માળખા પર કેસ વર્ષ ૧૯૫૦માં શરૂ થયો. હિંદુ ભક્ત ગોપાલસિંહ વિશારદે ૧૯૫૦માં એક કેસ દાખલ કર્યો જેમાં ગુંબજમાં રામ લલ્લાની પૂજા કરવાના અધિકાર માગ્યા.