સુપ્રીમ કોર્ટે કેન્દ્રના દિશા નિર્દેશ પર ધ્યાન કરતા બુધવારે કહ્યું કે અધિકારીઓને કોરોનાના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર અને સાઈનેજ(નિર્દેશક અથવા ચેતવણી સંકેતક) ન લગાવવા જોઈએ.
સંક્રમિત લોકોના ઘરની બહાર પોસ્ટર ન ચોંટાડવા
આ કાર્ય કોઈને કલંકિત કરવાનો ઈરાદો ન હોઈ શકે.
...આ પ્રકારના પોસ્ટર ન લગાવવા જોઈએ
સંક્રમિત લોકોના ઘરની બહાર પોસ્ટર ન ચોંટાડવા
સુપ્રીમ કોર્ટે આ સાથે કહ્યું કે જો કોઈ યોગ્ય પ્રાધિકારી મહામારીના કાયદા અંતર્ગત વિશેષ નિર્દેશ જારી કરે છે તો આ પ્રકારના પોસ્ટર વિશેષ મામલામાં જ લગાવવામાં આવે. ન્યાયમૂર્તી અશોક ભૂષણની આગેવાની કરનારી બેંચે કોરોના વાયરસથી સંક્રમિત લોકોના ઘરની બહાર પોસ્ટર ન ચોંટાડવાનો નિર્દેશ આપનારી પ્રક્રિયાનો વિરોધ કરતી અરજી પર સુનવણી દરમિયાન આ કહ્યું છે.
Supreme Court says that affixing posters by State Government authorities outside the homes of #COVID19 patients, divulging their identities, is not required unless there is a direction from a competent authority. pic.twitter.com/gcFYBsesgV
ન્યાયમૂર્તિ આર એસ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ આર શાહ પણ પીઠમાં સામેલ હતા. પીઠે અરજીનો નિકાલ કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે પહેલા જ દિશા નિર્દેશ જારી કરી દીધા છે અને એટલા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ પ્રકારના પોસ્ટર ન લગાવવા જોઈએ.
આ કાર્ય કોઈને કલંકિત કરવાનો ઈરાદો’ન હોઈ શકે.
કેન્દ્રએ પહેલા મુખ્ય અદાલતમાં કહ્યું હતું કે દિશા - નિર્દેશોમાં કોરોનાના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવા સંબંધિત કોઈ નિર્દેશ નથી આપવામાં આવ્યા અને પોસ્ટર લગાવવાનો હેતું કોઈને ‘કલંકિત કરવાનો ઈરાદો’ ન હોઈ શકે.
દેશમાં કોરોનાનો કહેર યથાવત
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનું સંક્રમણ હજું યથાવત છે. 1 દિવસમાં કોરોનાના 32 હજાર 61 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 36 હજાર 537 લોકો સાજા થયા છે. 24 કલાકમાં 402 લોકોના મોત થયા છે . જ્યારે હાલ દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 3 લાખ 77 હજાર 436 છે. અત્યાર સુધીમાં દેશમાં 97 લાખ 35 હજાર 975 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ 92 લાખ 14 હજાર 806 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે. તો દુઃખદ વાત એ છે કે દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1 લાખ 41 હજાર 398 લોકોના મોત થયા છે.