નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન જામિયા યૂનિવર્સિટી વિસ્તારમાં થયેલી હિંસા અને આગની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને હાઇકોર્ટમાં અપીલ કરવા આદેશ આપ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલગ-અલગ જગ્યાઓ પર ઘટનાઓ બની છે, તેથી તપાસના આદેશ ના આપી શકાય.
સુપ્રીમ કોર્ટનો ન્યાયિક તપાસથી ઇનકાર
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ જવા આદેશ આપ્યો
વિદ્યાર્થીઓ તરફથી વકીલ ઇન્દિરા જયસિંહ સહિત બે વકીલ રજૂ થયા
કોર્ટે કહ્યું કે તેલંગાણા એન્કાઉન્ટર મામલામાં, એક આયોગના મામલાને જોઇ શકીએ છે. જોકે, આ મામલામાં અલગ-અલગ ઘટનાઓ બની છે અને એક આયોગ પાસે એ પ્રકારના અધિકાર ક્ષેત્ર ના હોઇ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલામાં તપાસને લઇને હાઇકોર્ટ કોઇપણ નિર્ણય લઇ શકવામાં સ્વતંત્ર છે. હાઇકોર્ટ તેના પર કમિટીના ગઠનનું એલાન કરી શકે છે.
વિદ્યાર્થીઓ તરફથી વકીલ ઇન્દિરા જયસિંહ સહિત બે વકીલ રજૂ થયા હતા. તેઓનું કહેવું છે કે, વાઇસ ચાન્સેલરની મંજૂરી વિના પોલીસ કેમ્પસમાં ઘુસી શકે નહીં.
અહીં જાણો, સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોણે શું કહ્યું :
ન્યાયાધીશ: અમે અમારો સમય તથ્યોની તપાસમાં નથી લગાવવા માંગતા. તમે પહેલા હાઇકોર્ટમાં જાઓ.
ન્યાયાધીશ: તેલંગાણા એન્કાઉન્ટર મામલામાં, એક આયોગ મામલાને જોઇ શકે છે. આ મામલામાં વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ઘટનાઓ થઇ છે અને એક આયોગની પાસે એ પ્રકારના અધિકાર ક્ષેત્ર ન હોઇ શકે.
કોલિન (વિદ્યાર્થીઓ તરફથી વકીલ) : કાલે સાંજે જામિયાની વાઇસ ચાન્સેલરે એક નિવેદન જાહેર કર્યું છે. કાલે એવુ લાગ્યું જાણે આપે વિદ્યાર્થીઓને જવાબદાર ઠેરવ્યા છે.
ન્યાયાધીશ: અમે એવુ કંઇજ કહ્યું નથી. અમે સમાચાર પત્રો પર વિશ્વાસ નથી કરતા. અમે ક્યારેય વિદ્યાર્થીઓને જવાબદાર નથી ઠેરવ્યા.
કોલિન: અલીગઢમાં 50-60 વિદ્યાર્થીઓને પોલીસે ટોર્ચર કરી, તેમના માથા ફોડી નાંખ્યા.
કોલિન: અલીગઢમાં જો કોઇ રિટાયર્ડ જજને મોકલવામાં આવે છે તો શાંતિ સ્થપાશે. તમામને લાગશે કે તપાસ થઇ રહી છે.
કેન્દ્ર સરકારના વકીલ : તમે ટીવી ડિબેટમાં નથી.
કેન્દ્ર સરકારના વકીલ :બસ, 20 ખાનગી કાર અને અન્ય વાહન સળગાવવામાં આવ્યા. 67 ઘાયલ લોકોને પોલીસે હોસ્પિટલ પહોંચાડ્યા.
ન્યાયાધીશ: વિન ઓળખ ધરપકડ કેમ કરાઇ?
કેન્દ્ર સરકારના વકીલ: કોઇપણ વિદ્યાર્થીઓની ધરપકડ નથી કરવામાં આવી. કોઇ જેલમાં નથી. અહીં વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. ઘાયલ લોકોમાં કેટલાક વિદ્યાર્થીઓ હતા. પ્રોક્ટરને બોલાવવામાં આવ્યા તેઓએ વિદ્યાર્થીઓને ઓળખ્યા અને લઇ ગયા.
ન્યાયાધીશ: જો કોઇએ ગૂનો કર્યો છે તો પોલીસ ધરપકડ કરવા આઝાદ છે.
કેન્દ્ર સરકારના વકીલ : આ મામલો અફવાઓથી શરૂ થયો. અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં પ્રોક્ટરે લેખિત રૂપે સૂચના આપી પોલીસને બોલાવ્યા હતા.
ન્યાયાધીશ: હોસ્પિટલમાં વિદ્યાર્થીઓની શું હાલત છે?
કેન્દ્ર સરકારના વકીલ: તમામનો મફત ઇલાજ ચાલી રહ્યો છે એક વ્યક્તિએ ટીયર ગેસના શેલ હાથમાં લીધા અને ઘાયલ થઇ ગયો.
કોલિન: કોઇ રિટાયર્ડ જજને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં તાત્કાલિક મોકલવામાં આવે.
ઇન્દિરા: વિદ્યાર્થીઓને અંતરિમ સંરક્ષણ આપવામાં આવે.
ન્યાયાધીશ: આશા છે કે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ યોગ્ય આદેશ પસાર કરશે
ઇન્દિરા જય સિંહ: એ એજન્સીએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસને પ્રેરણા આપવી જોઇએ.
ન્યાયાધીશ: સેવાનિવૃત સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ આત્મવિશ્વાસને પ્રેરણા આપી શકે છે.