સુપ્રીમ કોર્ટ તરફથી ગુજરાત સરકારના વલણથી નારાજ થઇને જણાવ્યું કે રાજ્ય સરકાર કોરોના મુદ્દે સ્થિતિ છુપાવી રહી છે, સાચી સ્થિતિ બહાર આવવી જોઇએ. આ સાથે સુપ્રીમે રાજકોટ ઉદય હોસ્પિટલ અંગ્નિકાંડ મુદ્દે વેધક ટકોર કરતાં કહ્યું તથ્યોને કોઇ દબાવી શકતું નથી.
કોરોના મુદ્દે ગુજરાત સરકારના વલણથી સુપ્રીમકોર્ટ નારાજ
સુપ્રીમકોર્ટે કહ્યું ગુજરાત સરકાર સ્થિતિ છૂપાવી રહી છે
રાજકોટ અગ્નિકાંડ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા સુઓમોટો
રાજકોટમાં તપાસ બરોબર છે તો અમદાવાદ અગ્નિકાંડનું શું?
કોરોના મુદ્દે ગુજરાત સરકારના વલણથી સુપ્રીમકોર્ટ નારાજ
કોરનાના મુદ્દાને લઇને ગુજરાત સરકારના વલણથી સુપ્રિમ કોર્ટ નારાજ જોવા મળી છે. સુપ્રીમે કહ્યું રાજ્ય સરકાર સ્થિતને છુપાવી રહી છે, સાચી સ્થિતિ બહાર આવવી જોઇએ. આ મુદ્દે ગુરુવારે વધુ સુનાવણી હાથ ધરાશે
કોરોનાને લઇને સુપ્રીમે કહ્યું કે રાજ્ય સરકાર સબ સલામત હૈ ની સ્થિતિ દેખાડી રહી છે. રાજ્ય સરકાર સ્થિતિને છુપાવી રહી છે, સાચી સ્થિતિ બહાર આવવી જોઇએ.
રાજકોટ આગ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા સુઓમોટો
રાજકોટ અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરાવામાં આવી છે. સુપ્રીમ દ્વારા રાજ્ય સરકારના કાઉન્સિલરને વેધક સવાલ કરવામાં આવ્યાં છે. સુપ્રીમે સુનાવણી દરમિયાન ટકોર કરી કે તથ્યોને કોઇ દબાવી શકતા નથી. તથ્યોને સાચી રીતે સામે લાવવાની જરુર છે.
સુપ્રીમ કોર્ટે રાજકોટ મામલે જણાવ્યું કે તમારી એફિડેવીટ મળી, રાજ્ય સરકારનું સ્ટેન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરથી વિપરીત છે. તમારી કાઉન્ટર એફિડેવીટ મુજબ બધુ સારુ છે.
રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે અગ્નિકાંડ મુદ્દે DK મહેતાને તપાસ સોંપાઇ છે. જો કે સુપ્રીમે સવાલ કરતાં કહ્યું કે રાજકોટમાં તપાસ બરાબર છે, તો અમદાવાદ અગ્નિકાંડનું શું? શ્રેય હોસ્પિટલ અંગે સુપ્રીમે પૂછ્યું કે ક્યાં સુધી પહોંચી તમારી તપાસ?