ટેલિકોમ સેકટર પરના સંકટ પર ભારતી એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલે એક મોટું નિવેદન આપ્યું છે. સુનીલ મિત્તલે કહ્યું છે કે ગત સાડા ત્રણ વર્ષથી ટેલિકોમ સેકટર સંકટમાં છે. આ ઇન્ડસ્ટ્રીઝ સરકારના ડિજીટલ એજેન્ડા અને દેશ માટે વ્યાપક મહત્વ રાખે છે. એવામાં સરકારે એ જોવાની જરૂરિયાત છે કે આ ક્ષેત્રને કઇ રીતે મજબૂત બનાવી શકાય એમ છે. સુનીલ મિત્તલે આ વાત દિલ્હીના નોર્થ બ્લોક સ્થિત નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથેની મુલાકાત બાદ કહી હતી.
ઉલ્લેખનીય છે કે સુનીલ મિત્તલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે પણ મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાતમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઇ તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.
જો કે એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (AGR) ચૂકવણીને લઇને ટેલિકોમ કંપનીઓ સંઘર્ષ કરી રહી છે. ખરેખર તો વર્ષો જૂના વિવાદમાં સરકાર ટેલિકોમ કંપનીઓ પાસેથી AGR માગી રહી છે.
10,000 કરોડ આપી ચૂકી છે એરટેલ
સંચાર મંત્રાલયના દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા ટેલિકોમ કંપનીઓ પાસેથી લેવામાં આવેલ યૂજેજ (ઉપયોગ) અને લાઇસન્સ ફીને AGR કહેવામાં આવે છે. તેના બે ભાગ હોય છે - સ્પેકટ્રમ ઉપયોગી ચાર્જ અને લાઇસન્સ ફી, જે ક્રમશઃ 3-5 ટકા અને 8 ટકા હોય છે.
ટેલિકોમ કંપનઓ પર 1.47 લાખ કરોડ રૂપિયાથી વધારે બાકી રકમ લેણી છે. જેમાં ભારતી એરટેલ પર 35 હજાર કરોડ બાકી સામેલ છે. જો કે એરટેલ 10,000 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. AGR ચૂકવણીને લઇને સુનીલ મિત્તલે કહ્યું કે કંપની કુલ દેવાની રકમની ગણતરી કરી રહી છે.
કોના પાસે કેટલી બાકી રકમ?
એરટેલ સિવાય વોડાફોન આઇડિયા પર 53,000 કરોડ રૂપિયા બાકી હતી. જેમાં વોડાફોન-આઇડિયાએ સોમવારે 2500 કરોડ રૂપિયા બાકી લેણામાં જમા કરાવ્યાં. જ્યારે ટાટા ટેલિસર્વિસિઝ પર 13,800 કરોડ રૂપિયા અને BSNL પર 4,989 કરોડ રૂપિયા સિવાય MTNL પાસે 3,122 કરોડ રૂપિયા બાકી છે.