રામાનંદ સાગરએ ક્યારેય વિચાર્યુ નહીં હોય કે, તેઓ જે રામાયણનું નિર્માણ કરી રહ્યાં છે તે, 80ના દાયકા બાદ એકવાર ફરી અત્યારે દર્શકોમાં આટલી લોકપ્રિય થઈ જશે. લોકડાઉન દરમિયાન લોકોની ભારે ડિમાન્ડ પર દૂરદર્શન પર રામાયણનું ફરી પ્રસારણ કરવામાં આવ્યું અને દર્શકોના ભરપૂર પ્રેમથી રામાયણની ટીઆરપીએ ઈતિહાસ રચ્યો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ત્યારે રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનીલ લહરીએ હાલમાં જ રામાયણથી જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે. જેમાં શૂટિંગ દરમિયાન રામાયણની સમગ્ર કાસ્ટની સાથે રામાનંદ સાગર પણ ખૂબ રડ્યા હતા.
રામાયણને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો
રામાયણનું રિ-ટેલિકાસ્ટ થતાં આ શો ફરી ચર્ચામાં આવી ગયું
ત્યારે હવે રામાણયના લક્ષ્મણે શોના એક સીન વિશે જણાવ્યું
રામાયણના ફરી પ્રસારણ પછી તેનાથી જોડાયેલા કિસ્સાઓ પણ ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સુનીલ લહરીએ શૂટિંગ દરમિયાન એક એવો કિસ્સો જણાવ્યો જ્યારે સેટ પર રહેલાં તમામ લોકોની આંખો ભીની થઈ જાય છે. આ સીન ત્યારનો છે જ્યારે રામના વનવાસ ગયા બાદ રાજા દશરથનું નિધન થઈ જાય છે, સુનીલે જણાવ્યું કે આ એપિસોડ શૂટ કરતી વખતે તમામ કાસ્ટ ભાવુક થઈ ગઈ હતી અને ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી હતી. એટલું જ નહીં રામાનંદ સાગરની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
સુનીલ લહરીએ તેના ટ્વિટર પર આ સીનથી જોડાયેલી કેટલાક યાદો શેર કરી છે. સુનીલે જણાવ્યું કે, આ એપિસોડ શૂટ કરવો ખૂબ જ મુશ્કેલ હતો. આ એપિસોડની શૂટિંગ દરમિયાન સૌથી વધુ કૌશલ્યા અપસેટ હતી. જે દશરથ એટલે કે જયશ્રી ગાડકરની રીયલ વાઈફ છે. તેણે જણાવ્યું કે, આ શૂટ પછી તેમને રિકવર થવામાં એક દિવસ લાગી ગયો હતો. આ સીન એટલે પણ ભાવુક હતો કારણ કે આ રાજા દશરથનું લાસ્ટ શૂટિંગ હતું. તેઓ સ્વભાવથી ખૂબ જ હસમુખ હતા.
A post shared by Ramayan (@ramanandsagarramayan) on
રામાયણ પહેલી વખત 1987માં દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, રામાયમના રિ-ટેલિકાસ્ટ બાદ સુનીલ લહરીની ફેન ફોલોઈંગ જબરદસ્ત વધી ગઈ છે અને તે અવારનવાર રામાયણથી જોડાયેલી યાદો અને કિસ્સાઓ શેર કરતો રહે છે.