લગભગ 7-8 મહિનાથી સુનયના ફોજદારે નેહાને રિપ્લેસ કરી છે. સુનયના હવે અંજલીના કેરેક્ટરમાં એકદમ ફીટ બેસી ગઇ છે. ત્યારે નેહા મહેતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે તે શોમાં પાછી જવા માગે છે. ત્યારથી જ આ વાત ચર્ચાનું કારણ બની છે.
સુનયના ફોજદાર શોમાં અંજલી મહેનું પાત્ર ભજવી રહી છે. નેતા મહેતાની વાપસીની ખબરો પર મિડીયામાં વાત કરતા સુનયનાએ કહ્યું કે, આ વિશે હું શું કહ્યું આ તો શોના પ્રોડ્યુસરનો નિર્ણય છે. મને અહીં કામ કરતા કરતા 8 મહિના થઇ ગયા છે. હું અંજલીનો રોલ પ્લે કરુ છુ અને જો નેહા વાપસી ઇચ્છે છે તો આ વિશે અસિત મોદી જ નિર્ણય લેશે, હું શું બોલી શકું.
નેહા મહેતા કે જે શૉમાં અંજલિનુ પાત્ર ભજવતી હતી અને ગુરુચરણ સિંહ કે જે સોઢીની ભૂમિકામાં નજર આવતો હતો. બંને લોકોએ અંગત કારણોસર શૉ છોડી દીધો છે. નેહાની જગ્યા સુનયના ફોજદારે લઇ લીધી છે.
નેહા પહેલા એપિસોડથી સિરિયલમાં અંજલિનુ પાત્ર ભજવી રહી છે પરંતુ 11 વર્ષ બાદ તેણે શૉને બાય બાય કહી દીધુ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની વાપસીને લઇને કેટલીક વાતો શેર કરી હતી.
પરત ફરવા માંગતી હતી નેહા
નેહાએ જણાવ્યું કે તે શૉમાં પરત ફરવા માંગતી હતી પરંતુ તેને સેટ પર કેટલાક બદલાવ જોઇતા હતા જે બદલાવ કરવાની મેકર્સે ના પાડી દીધી હતી. તેના વિરુદ્ધ સેટ પર ગ્રુપિઝમ કરવામાં આવતુ હતુ. જેથી કેટલીક વાર મૌન જ સૌથી મોટો જવાબ હોય છે.
તેણે કહ્યું કે અહીંયા એક નિયમ છે કે તમારે કામ કરવુ હોય તો કરો નહી તો છોડી દો. એક પોઇન્ટ આવ્યો જ્યારે મે વિટાર્યું કે અહીંયા રોકાઇ જવુ જોઇએ પરંતુ તેવુ સંભવ ન બન્યું. તારક મહેતા... પહેલા પણ મે મનોરંજન જગતમાં ઘણુ કામ કર્યુ છે.
નેહાએ કહ્યું કે માત્ર તારક મહેતા શૉ નથી જે મને સેલિબ્રિટી બનાવે છે. હું એક સેલિબ્રિટી છુ જે તારક મહેતાનો હિસ્સો હતી. એક શિક્ષિત અને સમજદાર હોવાને કારણે મારે ઘણી વસ્તુઓ વિચારવી પડે છે. આ શૉ એવો હતો જે મને નિયમિત કમાણી આપતો હતો.