રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૃત્યુને 72 વર્ષ પૂરા થયા છે ત્યારે આ વર્ષે તેમની જન્મ જયંતીએ દેશ વિદેશના નેતાઓએ તેમને યાદ કર્યા. આ સમયે જ રાજ્યસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વિટથી ખળભળાટ મચ્યો છે. તેઓએ કહ્યું છે કે ગાંધીજીની હત્યાના કેસની ફરી તપાસ થવી જોઈએ. સ્વામી પહેલાં પણ આ વાત કહી ચૂક્યા છે કે શક્ય છે કે એવું ક્યારેય બન્યું જ ન પણ હોય કે રાષ્ટ્રપિતાને નાથૂરામ ગોડસે એ જ ગોળી મારી હોય.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૃત્યુને 72 વર્ષ પૂરા થયા
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું ટ્વિટ
ગાંધીજીની હત્યાની ફરીથી તપાસ ઈચ્છે છે સુબ્રમણ્યમ સ્વામી
સ્વામીએ જાહેર કર્યા કેટલાક ખાસ પ્રશ્નો
સુબ્રમણ્યમ સ્વામીએ આ વિશે ટ્વિટર પર એક જૂની ન્યૂઝ લિંક શેર કરી છે અ્ને પૂછ્યું છે કે આખરે શું કારણ હતું કે ગાંધીજીના મૃતદેહની અટોપ્સી કરાઈ નહીં. સ્વામી પહેલાં પણ ગાંધીજીની હત્યા સાથે જોડાયેલા દાવા પર સવાલ કરી ચૂક્યા છે. તેઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ટ્વિટમાં કહ્યું કે ગાંધીજીના પાર્થિવ શરીરનું કોઈ પોસ્ટમોર્ટમ કે એટોપ્સી શા માટે કરાઈ નહીં. શા માટે આભા અને મનુ જે ઘટનાના પ્રત્યક્ષ દર્શી હતા તેમને સવાલ ન કરાયા. ગોડસેના રિવોલ્વરમાં કેટલા ચેમ્બર ખાલી મળ્યા હતા.ઈટાલિયન રિવોલ્વર શોધી પણ ન શકાઈ. શા માટે. આ કેસને ફરી ખોલવાની જરૂર છે.
ગાંધીજીની હત્યાની ફરીથી તપાસની અરજી સુપ્રીમ કોર્ટે કરી છે રદ્દ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પહેલાં જ મહાત્મા ગાંધીની હત્યાની ફરી તપાસની માંગની એક અરજીને નકારી છે. આ અરજી ઓક્ટોબર 2017માં એક આઈટી પ્રોફેશનલ ડોક્ટર પંકજ કુમદચંદ ફડણવીસે લગાવી હતી. સુપ્રીમ કોર્ટે 2019માં આ અરજીને રદ્દ કરી હતી. તેમાં કહેવાયું હતું કે આ વાત પર હજુ પણ અસ્પષ્ટતા છે કે ગાંધીજી પર ચાલેલી ચોથી ગોળી નાથૂરામ ગોડસેએ તલાવી હતી. આ માટે કેસની ફરીથી તપાસ થવી જોઈએ.
આ અરજીમાં કહેવાયું છે કે ગોડસે અને નારાયણ દત્તાત્રેય આપ્ટેને સુપ્રીમ કોર્ટના ગઠનથી 71 દિવસ પહેલાં જ ફાંસી અપાઈ હતી. તેનો અર્થ એ હતો કે સાજીશ કર્તા કે તેમના પરિવારને પૂર્વી પંજાબની અદાલતના નિર્ણયને પડકારવાનો અવસર મળ્યો નહીં. આ આધાર પર અરજીકર્તાએ દાવો કર્યો હતો કે ગાંધીજીની હત્યાના ટ્રાયલે કાયદાકીય રીતે અંતિમ રૂપ લીધું નથી.