બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / subhaspa leader explain about alliance with BJP in Uttar Pradesh

ઉત્તર પ્રદેશ / 'રાજકારણમાં બંધુ સંભવ છે' ભાજપ સાથે ગઠબંધન મામલે સુભાસપા અધ્યક્ષે કર્યો ખુલાસો

Kishor

Last Updated: 06:00 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સાથે ગઠબંધનને ચર્ચા એટલી વાયરલ થઇ કે તેને લઈને સુભાસપા પક્ષના નેતા રાજભરે ખુલાસો આપવો પડ્યો છે. તેઓએ કહ્યું કે બધા માટે દરવાજા ખુલ્લા છે,

  • યુપીમાં ભાજપ સાથે ગઠબંધન મામલે ખુલાસો
  • સુભાસપાના અધ્યક્ષએ કહ્યું કે બધા માટે દરવાજા ખુલ્લા છે
  • યુપીના cm યોગી સાથે મુલાકાતની ચર્ચાએ જોર પકડ્યું હતું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત અને ભાજપ સાથે ગઠબંધનની ચર્ચાઓ પર સુભાસપા પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે નિવેદન આપ્યું છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે ભાજપ સાથે ગઠબંધનને લઇને નિવેદન આપ્યું છે, તેઓએ જણાવ્યું કે રાજકારણમાં બધુ સંભવ છે. બધા માટે અમારા દરવાજા ખુલ્લા છે. કોઇને મનાઇ નથી અને મારી કોઇ ડિમાન્ડ પણ નથી. બધુ અમારી મરજી પ્રમાણે ન થાય અને અમે કોઇની બધી વાત સ્વીકારી શકીએ નહીં. બંને પક્ષે સાથે મળીને ચાલવું જોઇએ. 

અમારી ઇચ્છા છે કે દિલ્હીમાં અમારી હાજરી હોય

રાજભર શુક્રવારે પોતાના ઓળખીતા ભાજપના એક નેતા સાથે મુલાકાત કરવા માટે ભદોહી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન ભાજપ સાથે ગઠબંધનને લઇને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ સવાલો પર તેઓએ જણાવ્યું કે યુપીમાં એ સ્થિતિમાં નથી તો દિલ્હીની વાત કેમ કરવી. અમારે દિલ્હીમાં સરકાર નથી બનાવવાની પરંતુ અમારી ઇચ્છા છે કે દિલ્હીમાં અમારી હાજરી હોય. 

સર્કીટ હાઉસમાં યોગી સાથે રાજભરે મુલાકાત કરી હોવાની ચર્ચા 

તો યોગી આદિત્યનાથ સાથે વાતચીતની ચર્ચાઓ પર રાજભરે કહ્યું કે તેમની સાથે કોઇ મુલાકાત થઇ નથી. સર્કિટ હાઉસમાં અમારા બંનેના સાથેનું સાથે રોકાણ કરવું એક આકસ્મિક સંજોગ છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ગુરુવારે પોતાના વારાણસીના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓએ ધારાસભ્ય નીલકંઠ તિવારીના ભાઇના રિસેપ્શનમાં હાજરી આપી હતી. આ પ્રસંગમાં હાજરી આપતાં પહેલા તેઓ સર્કિટ હાઉસમાં ગયા હતા. એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે રાજભરે અહીં જ ઓમ પ્રકાશ રાજભરે તેમની સાથે અંદાજે 25 મિનિટ સુધી વાતચીત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ