વિશ્વભરમાં નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગની ઘટનાઓ વધી રહી છે. એવો અંદાજ છે કે 2030 સુધીમાં તે ઘણા દેશોમાં હેપેટોસેલુલર કાર્સિનોમાનું મુખ્ય કારણ બની શકે છે.
લીવરના રોગો માટે આ વસ્તુઓ છે જવાબદાર
તમારા રસોડામાં મુકેલી આ વસ્તુઓ છે ખતરનાક
સ્ટડીમાં થયો ખુલાસો થઈ શકે છે કેન્સર
લીવર કેન્સર 2020માં વિશ્વભરમાં 6ઠ્ઠું સૌથી સામાન્ય કેન્સર હતું અને કેન્સરથી થતા મૃત્યુનું ત્રીજું સૌથી મોટુ કારણ હતું. અમેરિકામાં 1980 થી લીવર કેન્સરની ઘટનાઓ ત્રણ ગણી વધી ગઈ છે. 2021માં લીવર કેન્સર પુરુષો અને સ્ત્રીઓમાં અનુક્રમે 5મું અને 7મું મુખ્ય કારણ હતું. હેપેટોસેલ્યુલર કાર્સિનોમા (HCC) 85 ટકા લીવર કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે જેમાં 85 ટકા કેસ છે.
HCC સૌથી ભયંકર કેન્સરમાંથી એક
આમાં 20 ટકાથી ઓછા દર્દીઓની જીવિકા પાંચ વર્ષ હોય છે. જે HCCને સૌથી ભયંકર કેન્સરમાંથી એક બતાવે છે. જો કે વિશ્વવ્યાપી રસીકરણના પ્રયાસો અને અસરકારક એન્ટિવાયરલ સારવારથી હેપેટાઇટિસ B અને C સંબંધિત HCCની ઘટનાઓ ઘટાડવામાં મદદ કરી છે.
પરંતુ નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગની ઘટનાઓ વધી રહી છે અને અનુમાન છે કે 2030 સુધીમાં ઘણા દેશોમાં HCCનું પ્રમુખ કારણ બનીને સામે આવશે. માટે આ બીમારીના બોજને ઓછો કરવા માટે નોન વાયરલ HCCના રિસ્ક ફેક્ટર્સને જાણવું જરૂરી છે.
PFS કેમિકલ બની શકે છે કેન્સરનું કારણ
એક અભ્યાસ મુજબ એવા પુરાવા મળ્યા છે કે એન્ડોક્રાઈન સિસ્ટમના ફંક્શનને બદલીને શરીરને નુકસાન પહોંચાડનાર Perfluoroalkyl and Polyfluoroalkyl Substancesમાં હેપિટોટોક્સિક પણ હોય છે એટલે કે લિવર સેલ્સને પણ તે નુકસાન પહોંચાડે છે. માટે સંશધનકર્તાઓને PFAS અને નોન વાયરલ HCCના ખતરાની વીચ્ચે સંબંધની તપાસ કરવા માટે પહેલી જનસંખ્યા-આધારિત અધ્યનન કર્યું.
PFAS એક રસાયણ છે. જેનો ઉપયોગ ઉપભોક્તા અને ઔદ્યોગિક ઉત્પાદનો, જેવા કે રસોઈમાં હાજર નોન-સ્ટિક કુકવેર, નળના પાણી, વોટરપ્રૂફ કપડા, સફાઈ ઉત્પાદનો અને અહીં સુધી કે શેમ્પુમાં પણ કરવામાં આવે છે.
PFASથી હેપેટોસેલુલર કોર્સિનોમાનો ખતરો
આ રસાયણને ફોરએવર કેમિકલના નામથી પણ જાણવામાં આવે છે. આ સરળતાથી નષ્ટ નથી થતુ અને મનુષ્યને ટિશ્યૂમાં, જેમાં લિવર પણ શામેલ છે, તેમાં જઈને જમા થઈ જાય છે. Los Angelesના University of South Carolinaના શોધકર્તાઓએ જાણ્યું કે ફોરએવર કેમિકલ વ્યક્તિમાં લિવર કેન્સના જોખમને વધારી શકે છે.
સંશોધકોને જાણવા મળ્યું કે જે લોકો આ ઝેરી પદાર્થોના સંમ્પર્કમાં વધારે આવ્યા છે. તેમનામાં આ બીમારીના ખતરામાં 4.5 ગણો વધારો થયો છે. વૈજ્ઞાનિકોએ નિદાન પહેલા કેન્સર રોગીઓના લોહીના નમૂનાનું વિશ્લેષણ કર્યું અને તેની તુલના કણ્ટ્રોલ ગ્રુપના એ લોકો સાથે કરી જેમને આ બીમારી છે.
રિસર્ચ દ્વારા જાણકારી મળી કે માનવ નિર્મિત હાનિકારક રસાયણ વાસણ હાજર રહે છે ભોજન વખતે તે લિવરમાં પ્રેશર કરે છે. પછી લિવરમાં જઈને જમા થઈ જાય છે અને નુકસાન પહોંચાડે છે.