દેશનો સૌથી મોટો સ્ટોક એક્સચેન્જ- નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઈક્વિટી સેગમેન્ટમાં ટ્રેડિંગનાં કલાકો વધારવાની તૈયારીમાં છે. સંભવત: સાંજે 5 વાગ્યા સુધી શેર માર્કેટ ચાલુ રહેશે.
NSE ઈચ્છે છે ટ્રેડિંગના સમયમાં વધારો
થઈ શકે છે 3:30નાં બદલે 5 વાગ્યે માર્કેટ બંધ
ZERODHAનાં CEOએ દર્શાવ્યો વિરોધ
શેર બજારમાં ટ્રેડિંગનાં સમયમાં બદલાવની ચર્ચા ફરી એકવાર સામે આવી છે. માર્કેટમાં વેપાર કરવાનો સમય હવે 3:30 થી વધારીને સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે. સમય વધારવાની રૂપરેખા બજાર નિયામક SEBIએ વર્ષ 2018માં તૈયાર કરી હતી.
3:30 ની જગ્યાએ 5 વાગ્યે બંધ થશે બજાર?
હાલમાં ભારતીય શેર બજારનો સમયગાળો સવારે 9:15થી બપોરનાં 3:30 સુધીનો છે. રિપોર્ટ અનુસાર આ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગનો સમયગાળો વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે બજાર સદસ્યો સાથે આ મુદા સંબંધિત વાતચીત શરૂ કરવામાં આવી છે.
2018માં તૈયાર કરવામાં આવી હતી રૂપરેખા
SEBIએ 2018માં ટ્રેડિંગનાં કલાકો વધારવાની રૂપરેખા જાહેર કરી હતી. આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ સેબી માનક સંચાલન પ્રક્રિયા લઈને આવ્યું હતું. જેમાં કહેવામાં આવેલી વાત અનુસાર જો એક્સચેન્જમાં કોઈ કારણોસર કામ બાધિત થાય છે તો માર્કેટનાં સહભાગીઓ, ટ્રેડિંગ સદસ્યોને 15 મિનીટની અંદર સૂચના આપવી પડશે. સેબીએ સર્ક્યૂલરમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે જો બજાર બંધ થવાનાં એક કલાક પહેલાં ટ્રેડિંગ સમાપ્ત થઈ નહીં તો તમામ એક્સચેન્જોને ટ્રેડિંગનો સમય તે દિવસે દોઢ કલાક વધારવો પડશે.
Extended trading hours for F&O will maybe signal the maturity of our markets. They also level the playing field for domestic traders against international traders and are also good for capital markets businesses in terms of revenues, but I'm conflicted. 1/3
ZERODHAનાં CEOએ દર્શાવ્યો વિરોધ
NSE ઈચ્છે છે ટ્રેડિંગનો સમય વધે પરંતુ ZERODHAનાં CEO નિતિન કામથે એક ટ્વીટની મદદથી પોતાનો ઓપિનિયન વ્યક્ત કરતાં કહ્યું કે જો આ નિર્ણય લેવામાં આવે છે તો તેનાથી ટ્રેડર્સની ઉપર પ્રતિકૂળ અસર પડી શકે છે. ટ્રેડ ટાઈમિંગ વધારવાથી ઓછી ભાગીદારી અને લાંબા સમય માટે લિક્વિડિટીની સમસ્યા સામે આવી શકે છે.