PM મોદીની જનધન યોજનામાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની જરૂર નથી અને તેથી મહિલાઓ આ યોજનાનો વધારે લાભ લે છે.
PMJDYમાં મિનિમમ બેલેન્સની જરૂર નથી
ચેકબુક રાખશો તો મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાનું રહે છે
PM મોદીની સ્કીમમાં મહિલાઓની ભાગીદારી વધારે
આવી છે યોજનામાં ભાગ લેનારાની સ્થિતિ
PM મોદીની મહાત્વાકાંક્ષી યોજનાઓમાંની એક આ જનધન યોજના છે. તેનો ઉપયોગ પુરુષો કરતાં મહિલાઓ વધારે કરી રહી છે. સ્થિતિ એ છે કે આ સ્કીમમાં એકાઉન્ટ ખોલવામાં મહિલાઓએ બાજી મારી છે. હાલના સ્ટેટસ અનુસાર પ્રધાનમંત્રી જનધન યોજનામાં 27 જાન્યુઆરી 2021 સુધી કુલ 41 કરોડ 75 લાખ ખાતા ખોલાયા છે. તેમાંથી અડધા એટલે કે 23 કરોડ 12 લાખ 26 હજાર 199 મહિલાઓએ ખોલાવ્યા છે. તો 18 કરોડ 62 લાખ 72 હજાર 077 ખાતા પુરુષોએ ખોલાવ્યા છે. એચલે કે મહિલાઓની સંખ્યા 50 ટકાથી પણ વધારેની છે.
આ સ્કીમમાં મળી રહ્યા છે કેટલાક ખાસ ફાયદા પણ
આ યોજનામાં એક તરફ પહેલાં સરકાર અનેક ફાયદા આ ખાતું ખોલતી સમયે આપી રહી છે ત્યાં થોડા સમયછી એસબીઆઈએ જનધન ખાતા ધારકોને 2 લાખ રૂપિયા સુધીનો એક્સીડન્ટ ઈન્શ્યોરન્સ કવર આપવાની જાહેરાત પણ કરી છે. આ સુવિધાનો લાભ લેવા માટે એસબીઆઈએ રૂપે જનધન કાર્ડને માટે અરજી કરવાની રહે છે. આ પછી ખાતામાં મિનિમ બેલેન્સને પણ મેન્ટેન કરવાની જરૂર રહેશે નહીં. જો તમે ખાતાની ચેકબુક રાખો છો તો તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડે છે.
જાણી લો જનધન ખાતું ખોલાવવાના ફાયદા પણ
જનધન એકાઉન્ટ પણ સેવિંગ્સ એકાઉન્ટની જેમ કામ કરે છે. તમે ઈચ્છો તો તમારું એક ફોર્મ આપીને બેંક ખાતાને જનધન એકાઉન્ટમાં ફેરવી શકો છો. જનધન ખાતાનો મોટો ફાયદો એ પણ છે કે તમે ઓવર ડ્રાફ્ટની મદદથી તમારા ખાતાથી 10,000થી વધારે રૂપિયા કાઢી શકો છો. આ સુવિધા જનધન ખાતાના થોડા મહિના સુધી કાયમ રહ્યા બાદ મળે છે. આ સાથે તમને વીમો, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવાનું પણ સરળ રેહે છે. સરકારી યોજનાના ફાયદો સીધો ખાતામાં મળે છે.