કરોડોના ખર્ચે કેવડિયા કોલોનીમાં સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવી છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટિ અને એકતા નગરીને નામે ચાર ગામના આદિવાસોની જમીન તેમને કહ્યા વગર જ સરકારે સંપાદિત કરી લીધી છે આ અંગે જમીન સંપાદનનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં કોર્ટે સરકાર અને ખેડૂતોને 10 દિવસની મહોલત આપી છે નહીં તો પછી અદાલત જ આ અંગે કોઈ ફોર્મ્યુલા આપશે.
"10 દિવસમાં બન્ને પક્ષો સાથે બેસી સમાધાન કરે"
"10 દિવસ બાદ કોર્ટ લેશે ન્યાયોચિત નિર્ણય"
"વધુ સુનાવણી 11મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે"
10 દિવસમાં સમાધાનની ફોર્મ્યુલા હાથ ધરવા આદેશ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જમીન સંપાદનનો વિવાદ મામલે હાઈકોર્ટે સરકાર અને અરજદારોને આખરી મહોલત આપી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, 10 દિવસમાં બન્ને પક્ષો સાથે બેસી સમાધાન કરે. જો 10 દિવસમાં સમાધાનની ફોર્મ્યૂલા નક્કી કરી કોર્ટ સમક્ષ નહીં મુકાય તો હાઈકોર્ટ જ ન્યયોચિત નિર્ણય લેશે. આ અંગે વધુ સુનાવણી 11મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
શું છે મામલો
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા કેવડિયા, વાગડિયા, નવાગામ, લીંબડી, કોઠી અને ગોરા ગામડાઓની જમીન સંપાદિત કરીને સરકાર ત્યાં ટુરિઝમ પ્રોજેક્ટ વિકસાવવા માગે છે. જમીન સંપાદનનું કાર્ય રોકવા સાથે હાઈકોર્ટે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ને નોટિસ પણ પાઠવી હતી.
શું છે આક્ષેપ
સરકાર અને SSNNL ‘જમીન સંપાદન અધિનિયમ હેઠળ યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના પ્રવાસન વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરીને’ છ ગામના આદિવાસીઓને કાઢી મૂકવા માગે છે. આ અંગે પીટિશન કરવામાં આવી છે જે મુજબ પીટિશનમાં દાવો કરાયો છે કે સરદાર સરોવર ડેમ બની રહ્યો હતો ત્યારે 1960માં આ જમીન સરકારે સંપાદિત કરી હતી પરંતુ અધિકારીઓએ તેનો ઉપયોગ ક્યારેય કર્યો નથી. પીટિશન મુજબ, હવે સરકાર અને SSNNL તે જમીન પહેલાથી સંપાદિત થઈ હોવાનું કહીને આદિવાસીઓને અન્ય જગ્યાએ શિફ્ટ થવા કહી રહી છે.
શું જવાબ આપ્યો હતો ગુજરાત સરકારે?
અગાઉની સુનાવણીમા ખેડૂતો દ્વારા સરકારે કરેલ વળતરના પ્રસ્તાવ સામે જવાબ રજૂ કરવામાં આવ્યો. જેમાં ખેતીની જમીન સામે તેમના જ ગામમાં ખેતી માટે જમીન અને રહેવા માટે ઘર અને સ્વરોજગારી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે. સરકારે રહેવા માટે 100 સ્કવેર મીટર જગ્યા આપવા તૈયાર બતાવી હતી પરંતુ ગામના લોકોએ 500 સ્કવરે મીટર જગ્યાની માંગણી કરી હતી. સરકારે ખેડૂતો દ્વારા કરાયેલ માંગણી માન્ય રાખી ના હતી. નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના 4 ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા, અને કોઠી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પાસે આવેલા છ. ગ્રામજનોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટુરિઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી. જેમાં યોગ્ય વળતર ચૂકવાયા નથી. જે બાબતને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો.
ખેડૂતો દ્વારા સરકારની ઓફર સામે પોતાનો જવાબ કોર્ટમાં રજુ કરવા સમય માંગવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકના 4 ગામોના લોકો દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી અને ગુજરત હાઇકોર્ટે ગ્રામજનોના હિતમાં વચગાળાની રાહત આપી છે. નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના 4 ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા, અને કોઠી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાસે આવેલા છે જે ગ્રામજનોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટુરીઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી. જેમાં યોગ્ય વળતર ન ચૂકવાયા નથી જે બાબત ને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો. સરકારે આ મામલે જવાબ રજુ કરતા વળતરની તૈયારી બતાવતા આજે ખેડૂતોએ સરકારના પ્રસ્તાવ સામે પોતાનો જવાબ કોર્ટમાં રજુ કર્યો હતો.
58 વર્ષથી વસતા આદિવાસીઓને અન્યાય
સંપાદિત જમીનનો ઉપયોગ ક્યારેય કરાયો નથી અને પાછલા 58 વર્ષથી આ જમીન આદિવાસીઓ પાસે છે ત્યારે સરકાર તેને પાછી ન લઈ શકે. સરકાર અને SSNNL પાસે આ ગામડાઓમાં વધારે જમીન હોવાના કારણે તેઓ આદિવાસીઓને અન્ય જગ્યાએ ખસેડવા ઈચ્છે છે. પરંતુ જમીન સંપાદનમાં વિલંબ થયા બાદ તેમની પાસે આ જમીનની માલિકીની કોઈ હક રહેતો નથી.
હાઈકોર્ટે આપ્યો હતો સ્ટે
જમીન વિવાદને લઇને હાઇકોર્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ પર પ્રવાસન પ્રોજેક્ટ રોકવા આદેશ કર્યા છે. આ વિવાદીત જમીન પર કોઇ કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ પણ આપ્યો હતો. 4 ગામના લોકોને અરજી પર હાઇકોર્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ પર પ્રવાસન પ્રોજેક્ટ રોકવાનો આદેશ કર્યા છે. તો શું હવે સરકાર યોગ્ય વળતર આપશે?