ભારતમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે કેટલાય રાજ્યોમાં વેક્સિનનો મોટા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહ્યા છે કેસ
રસીકરણ અભિયાન વચ્ચે વેક્સિનનો વેડફાટ ચિંતાનો વિષય
રાજ્યોએ લાખો ડોઝ કરી નાંખી બરબાદ
વેક્સિનનો વેડફાટ ચિંતાનો વિષય
કોરોના વાયરસના કારણે દેશમાં બીજી લહેર ચાલી રહી છે અને બીજી લહેરમાં સતત વધી રહેલા કેસની વચ્ચે હાહાકાર જેવી પરિસ્થિતિ છે. જોકે બીજી લહેરમાં દેશ પાસે વેક્સિન રૂપી રાહત છે ત્યારે ભારત સરકારનું કહેવું છે કે વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે વેક્સિનના ડોઝના વેડફાટ અંગે જે માહિતી સામે આવી છે તે ચોંકાવનારી છે.
કેટલાય રાજ્યો એવા જ્યાં પા ભાગની વેક્સિન વેડફાઇ ગઈ
RTIમાં સામે આવ્યું છે કે રાજ્યોને આપવામાં આવેલ 10.34 કરોડ ડોઝમાંથી 44.78 લાખ ડોઝ વેડફાઇ ગયા છે. આટલું જ નહીં મીડિયા આવેલ અહેવાલ અનુસાર 11 એપ્રિલ સુધીમાં દેશના કુલ વેક્સિનના ડોઝમાંથી કેટલાય એવા રાજ્યો છે જ્યાં 23% ડોઝ તો બરબાદ થઈ ગઈ છે. સૌથી વધારે વેક્સિનનો વેડફાટ તામિલનાડુ, હરિયાણા, પંજાબ, મણિપુર તથા તેલંગાણામાં થયો છે.
આ રાજ્યોએ રાખી કાળજી
જોકે કેરળ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, ગોવા, દમણ તથા દીવ અને અંદમાના નિકોબાર ટાપુમાં કોઈ પણ વેક્સિન વેડફાઇ નથી. ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને લોકોમાં રસીકરણ ખૂબ જરૂરી છે ત્યારે આ આંકડાઓ ચિંતા ઉપજાવે તેવા છે.
ભારતમાં બીજી લહેર બની કહેર
ભારતમાં માર્ચ મહિનાથી સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ દિવસને દિવસે ખૂબ જ કથળી રહી છે અને જુદા જુદા રાજ્યોમાં હોસ્પિટલો અને સ્મશાનોમાં જગ્યા નથી. એવામાં દરરોજ કોરોના વાયરસની કેસની સંખ્યામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં 21મી એપ્રિલ, 2021ના આંકડા અનુસાર 2,59,170 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1,761 મોત થઈ છે. આ સિવાય એક દિવસમાં 1,54,761 લોકો સાજા થયા છે.