કોરોનાના વધતા સંક્રમણના કારણે નવરાત્રીનું આયોજન થઇ શકે તેમ નથી. ત્યારે નવરાત્રીના આયોજન મુદ્દે ધારાસભ્ય હિતુ કનોડિયાએ કહ્યું કે કોરોનાનું સંક્રમણ વધતા નવરાત્રી ન યોજવી જોઇએ. હું કલાકાર છું, નુકસાન થાય તો મંજૂર છે. નાના કલાકારોની સ્થિતિ અંગે CMને પત્ર લખી રજૂઆત કરી છે. કલાકરોને આર્થિક સહાય કરવા CMને રજૂઆત કરી છે. કોરોનાની શરૂઆત થઇ ત્યારથી મનોરંજન જગત બંધ છે.