ઉત્તર ગુજરાત અને કચ્છના લોકોને પડતી અગવડતાને કારણે રાજ્યના માર્ગ મકાન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અધિક્ષક ઈજનેર કચેરીના તમામ મહેકમ સાથે મહેસાણા ખસેડવામાં આવી છે.
રાજ્યના માર્ગ મકાન વિભાગનો નિર્ણય
અધિક્ષક ઇજનેરની વર્તુળ-2ની કચેરીને મહેસાણા ખસેડાઈ
અત્યાર સુધી અધિક્ષક ઇજનેરની કચેરી અમદાવાદમાં હતી
રાજ્યના માર્ગ મકાન વિભાગનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક્ષક ઇજનેરની વર્તુળ-2ની કચેરીને મહેસાણા ખસેડવામાં આવી છે. અત્યાર સુધી અધિક્ષક ઇજનેરની કચેરી અમદાવાદમાં હતી. માર્ગ મકાન વિભાગે ઠરાવ કરીને કચેરીને મહેસાણા ખસેડી છે.
જોકે આ નિર્ણયથી આ વર્તુળ કચેરીના કાર્યક્ષેત્રમાં કોઇ ફેરફાર થશે નહીં. આ વર્તુળ કચેરી હસ્તક ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા(પાલનપુર)અને કચ્છ(ભૂજ ) જિલ્લાઓમાં જાહેર માર્ગો અને ઇમારતોને લગતી કામગીરી હાથ ધરવામાં આવે છે.
અધિક્ષક ઇજનેરની કચેરીના કામના સંદર્ભે આવતાં રાજયના નાગરિકો અને જનપ્રતિનિધિઓને પોતાની રજૂઆતો અને કામગીરી માટે અમદાવાદ સુધી જવું ના પડે. વર્તુળ કચેરી નજીકના સ્થળે હોવાથી નાણાં અને સમયની પણ બચત થાય તે હેતુથી આ નિર્ણય કરાયો છે. આ કચેરી તાત્કાલિક અસરથી કાર્યાન્વિત કરવાની રહેશે.