દેશમાં દર રોજ બેન્કિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. આજકાત છેતરપિંડી કરનારા ગ્રાહકો નવી નવી રીતે ફ્રોડ કરવા લાગ્યા છે. આ રીતે ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. આ ક્રમમાં ટ્વીટ જાહેર કરી પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે. એસબીઆઈએ જણાવ્યું છે કે તે પોતાના ગ્રાહકોને આ પ્રકારનો ઈમેઈલ નથી મોકલી રહ્યા.
SBIએ કહ્યું કે આ વેબસાઈટ પર ક્લિક ન કરતા નહીં તો
SBIએ કહ્યું અમારા ગ્રાહકોને ફેક મેઈલ જઈ રહ્યા છે
બેંકે કહ્યું કે ગૂગલ સર્ચ કરીને નહીં પણ આ વેબસાઈટથી માહિતી મેળવો
ઉલ્લેખનીય છે કે આજકાલ બેંકના ગ્રાહકો કોઈ પણ પ્રકારની માહિતી માટે ગૂગલનો ઉપયોગ કરે છે. પરંતુ જણાવી દઈએ કે ગૂગલ પર સર્ચ કરવા પર પણ ગ્રાહકોને યોગ્ય માહિતી નથી મળી શકતી. એટલા માટે બેંક સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની જાણકારી માટે તમારે બેન્કિંગ વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ.
SBIએ ટ્વીટ કરી જાણકારી આપી છે
SBIએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગ્રાહકોએ બેંક સાથે જોડાયેલી કોઈ પણ સેવા ની જાણકારી માટે હેલ્પલાઈન નંબર અથવા પછી વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ.
આ વેબસાઈટ પર જાઓ
ગૂગલ સર્ચથી ઘણીવાર ગ્રાહક ફેક વેબસાઈટ પર જતા રહે છે. એટલા માટે બેંકે કહ્યું કે એસબીઆઈ સંબંધિત માહિતીની જાણકારી અથવા અપડેટ માટે https://bank.sbi આ વેબસાઈટ પર જાઓ.
ટોલ ફ્રી નંબર પર ફોન કરો
એસબીઆઈના કસ્ટમર્સ કેરનો નંબર જારી કરવામાં આવ્યો છે. કોઈ પણ માહિતી માટે કસ્ટમર કેર નંબર્સ 1800 11 2211, 1800 425 3800 અથવા 080 26599990 પર સંપર્ક કરી બેંક સાથે જોડાયેલી માહિતી મેળવી શકો છો.
ફેક ઈમેઈલના ચક્કરમાં ન પડો
આ ઉપસાંત SBIએ પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું તે અમારા ગ્રાહકોને ફેક ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે. આ ઈમેઈલ સાથે SBIનો કોઈ સંબંધ નથી. ત્યારે ઈ મેલ ખોલવાથી બચો. SBIએ કહ્યું કે ગ્રાહકોને અનુરોધ છે કે તે સોશિયલ મીડિયા પર સતર્ક રહે અન કોઈ ભ્રામક અને ફર્જી સંદેશા પર ન જાય. બેંકે કહ્યું કે જો તમે આટલું ધ્યાન ન રાખ્યું તો તમારા બેંકના ખાતા ખાલી થઈ જશે.