જો તમે કોઇ ખાસ બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો આચાર (અથાણાં) નો બિઝનેસ શરૂ કરીને તમે સારી કમાણી કરી શકશો. એની સાથે આ એક એવો બિઝનેસ છે જે દરેક સિઝનમાં ચાલી શકે છે.એટલા માટે તમે કોઇ પણ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમે અથાણાંનો બિઝનેસ કરીને કમાઇ શકો છો.
અથાણાં માટે એવું કહેવામાં આવે છે કે આ બેસ્વાદ ખાવાને પણ ટેસ્ટી બનાવી દે છે. તમે આચારનો બિઝનેસ શરૂ કરીને સારી કમાણી કરી શકશો.
આચાર મેકિંગ બિઝનેસની શરૂઆત ઘરથી જ કરવી જોઇએ. જ્યારે બિઝનેસ વધવા લાગે ત્યારે અલગથી જગ્યા લઇને આ બિઝનેસને આગળ વધારવા માટે વિચારી શકો છો. અચાર મેકિંગ બિઝનેસ માટે 900 વર્ગફુટ એરિયા હોવો જરૂરી છે. અથાણું તૈયાર કરવું, આચાર સૂકવવો, આચારને પેક કરો વગેરે માટે ખુલ્લી જગ્યા જરૂરી હોય છે. આચારને લાંબા સમય સુધી ખરાબ થતા બચાવવા માટે આચારને બનાવવાની વિધિમાં સાફ સફાઇ રાખવી જરૂરી છે ત્યારે જ અથાણું વધારે સમય સુધી યથાવત રહે છે.
તમે પણ આચાર બનાવવાનો ધંધો ઘરથી શરૂ કરી શકો છો. આ વેપાર ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાથી શરૂ થાય છે. એનાથી તમને 25 થી 30 હજાર રૂપિયા સુધીની કમાણી થઇ શકે છે. આ કમાણી તમારી પ્રોડક્ટની ડિમાન્ડ, પેકિંગ અને એરિયા પર પણ નિર્ભર કરે છે. અથાણાંને ઓનલાઇન, થોક, રિટેલ માર્કેટ અને રિટેલ ચેનને વેચી શકાય છે.
અથાણાં બનાવવાના બિઝનેસને 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને એનો બમણો નફો કમાઇ શકાય છે. પહેલા માર્કેટિંગમાં ખર્ચાની તમામ રકમ વસૂલ થઇ જાય છે અને ત્યારબાગ માત્ર નફો થાય છે.
આચાર મેકિંગ બિઝનેસ માટે લાયસન્સ જરૂરી હોય છે. બિઝનેસ શરૂ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટીથી લાયસન્સ પ્રાપ્ત કરી શકાય છેઆ આ લાયસન્સ માટે ઑનલાઇન આવેદન પણ કરી શકાય છે.