સની દેઓલ ગુરદાસપુરની જનતાનું દિલ જીતવા માટે વિનોદ ખન્નાના રસ્તા પર ચાલી રહ્યો છે. એના કારણે હવે એવું કંઇક કરવા જઇ રહ્યો છે જેનાથી ખબર પડે છે કે એ જનતાની વચ્ચે કેવી ઇમેજ બનાવવા ઇચ્છે છે.
તાજેતરમાં જ બોલીવુડ સુપરસ્ટાર સની દેઓલે ભાજપનો હાથ પકડ્યો છે. સની દેઓલ પંજાબની ગુરદાસપુર સીટથી ઉમેદવાર તરીકે ઊભો રહેશે. ત્યારે આ વચ્ચે માહિતી મળી છે કે સની દેઓલ જનતાની વચ્ચે રહેવા અને એમને વિશ્વાસ જીતવાનો પ્રયત્ન જીવ લગાવીને કરી રહ્યો છે, કદાચ આ જ કારણ છે હવે એ ગુરુદાસપુરમાં જ રહેવાનું મન બનાવી રહ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે એ ગુરુદાસપુરમાં જલ્દીથી નવું ઘર લેવા જઇ રહ્યો છે. આ પહેલા વિનોદ ખન્નાએ પણ જનતા સાથે જોડાઇ રહેવા ગુરુદાસપુરમાં જ ઘર લીધું હતું.
જણાવી દઇએ કે અભિનેતાથી નેતા બનેલા સની દેઓલ બોલીવુડમાં કોઇ ખાસ કમાલ કરી શક્યો નથી પરંતુ રાજકારણમાં ઊતર્યા બાદ એ ચૂંટણી જંગ જીતવા માટે પોતાની સમગ્ર તાકાત લગાવવા ઇચ્છે છે. જેના કારણે એ વિનોદ ખન્નાના પદ પર ચાલી રહ્યો છે.