દિવાળી વેકેશનમાં વતન જવા માટે આ વર્ષે STમાં બુકિંગ માટે લોકોનો ધસારો વધ્યો છે. સુરતમાં કામ કરતા અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકાનાં જુદાં જુદાં ગામોના રત્નકલાકાર પરિવારો દિવાળીની રજામાં વતન જતા હોય છે. બે ત્રણ દિવસના સમયમાં લોકોનો ધસારો હોઈ ST નિગમની મોટા ભાગની બસો તહેવારો પહેલા 100 ટકા જ હાઉસફૂલ થઈ ચૂકી છે .
સુરતથી ઉપડનારી 200 બસ એડવાન્સ બુકિંગથી હાઉસફૂલ
168 બસ ઓનલાઇન અને 111 બસમાં ગ્રૂપ બુકિંગ થયું
દરેક રૂટનાં ભાડાં દર્શાવતાં બેનરો પણ મુક્યાં છે
અમદાવાદ વડોદરા એસટી ડેપોમાં પ્રવાસીઓ દ્વારા સત્તરહજારથી વધુ સીટનું એડ્વાન્સ બુકિંગ થઇ ગયું છે સૌથી વધુ બુકિંગ અમદાવાદ થી વડોદરા સુરત ગોઘરા અને દાહોદનાં થયાં છે.
સુરતથી ઉપડનારી 200 બસ એડવાન્સ બુકિંગથી હાઉસફૂલ
ST ડિવિઝનના સૂત્રોનાં જણાવ્યા મુજબ તહેવારોના એક સપ્તાહ પૂર્વે સુરતથી ઉપડનારી 200 બસ એડવાન્સ બુકિંગથી હાઉસફૂલ થતાં નિગમને એક કરોડ જેટલી આ સિઝનની અંદાજે વધારાની આવક થશે. સૌરાષ્ટ્ર ઉપરાંત દાહોદ, ગોધરા, પંચમહાલ, મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલિયા વગેરે રૂટમાં પણ એકસ્ટ્રા બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
168 બસ ઓનલાઇન અને 111 બસમાં ગ્રૂપ બુકિંગ થયું
દર વર્ષની સરખામણીમાં આ વર્ષે 100 ટકા બુકિંગ વધ્યું છે. આ વખતે 279 બસનું બુકિંગ થઇ ગયું છે. 168 બસ ઓનલાઇન અને 111 બસમાં ગ્રૂપ બુકિંગ થયું છે. એસટી દ્વારા પહેલાથી પ્રચાર શરૂ કરી દેવાતા બુકિંગ વધ્યું દિવાળી પહેલાં એક મહિનાથી પ્રચાર શરૂ કરી દીધો હતો.
દરેક રૂટનાં ભાડાં દર્શાવતાં બેનરો પણ મુક્યાં છે
દરેક વિસ્તારમાં ટેમ્પો ફેરવી જાહેરાત કરવામાં આવી હતી અને તે ઉપરાંત દરેક રૂટનાં ભાડાં દર્શાવતાં બેનરો પણ મુક્યાં છે. એકસ્ટ્રા બસનાં ભાડાં ઓછાં કરાયાં વગેરે કારણથી આ વર્ષે બુકિંગ વધ્યું છે.