કોલંબો: શ્રીલંકા દ્વારા આજે LTTEના જહાજ સહિત અનેક બુલેટ પ્રુફ જેકેટ સાથે પૂર્વ પ્રમુખો દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાહનોને દરિયામાં નાંખી દેવાયા હતા.
આ વસ્તુઓ નો ગેરપયોગ ન થાય અને કોઇના હાથ આવી જાય તે માટે પગલું લેવાય છે. વિનાગમૂર્થિ મુરલીધરન અને LTTEના પૂર્વ નાયબ નેતા કે જે પાછળથી રાજકારણી બની ગયો હતો તેના વાહનોને પણ ગઇ કાલે સવારે પશ્ચિમી કિનારે દરિયામાં પધરાવી દેવામાં આવ્યા હતા.
શ્રીલંકાની નેવીએ કહ્યું હતું કે પૂર્વ પ્રમુખો જે.આર. જયવર્દને રાણાસિંઘે પ્રેમદાસા ચંદ્રીકા કુમાારતુંગા અને મહિન્ડા રાજપાકશે દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાહનોમાંથી સંદેશાવ્યવહાર સીસ્ટમ કાઢીને તેમનો નાશ કરવામાં આવ્યો હતો.
જો આ વાહનોની જાહેર હરાજી કરવામાં આવે તો કદાચ ખોટા માણસોના હાથમાં જતાં રહે એટલા માટે તમામને દરિયામાં નાંખી દીધા હોવાનું અધિકારીએ કહ્યું હતું.