બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / વિશ્વ / Sri Lanka crisis: Troops ordered to shoot at those damaging public property

લોહીલુહાણ લંકા / અસામાજિક તત્વો રસ્તા પર દેખાતા જ ગોળી મારી દેવાશે: શ્રીલંકામાં ભયંકર હિંસા બાદ સૌથી મોટા આદેશ

Parth

Last Updated: 09:10 PM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભયંકર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિથી પસાર થઈ રહેલ શ્રીલંકામાં અત્યાર સુધીના સૌથી ખતરનાક આદેશ આપવામાં આવ્યા છે.

  • લંકા થઈ લોહીલુહાણ 
  • રસ્તા પર અસામાજિક તત્વો દેખાતા જ ગોળી મારી દેવાશે 
  • ઠેર ઠેર હિંસા અને આગચંપી 

શૂટ એટ સાઇટ 
શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરાયા બાદ પણ લોકો હિંસાને રોકી રહ્યા નથી, આખા દેશમાં ઠેર ઠેર આગ ચંપીની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં વિરોધને દબાવવા માટે સરકારે જોતાં જ ગોળી મારી દેવાના આદેશ દેશની સેનાને આપ્યા છે. 

 

સોમવારે મોટા મોટા નેતાઓના ઘર સળગાવાયા 
નોંધનીય છે કે શ્રીલંકામાં પ્રધાનમંત્રીના રાજીનામાં બાદથી હિંસા ખૂબ વધી ગઈ છે. રાજીનામું આપનાર પૂર્વ PMના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે થયેલ હિંસામાં એક સાંસદ સહિત કુલ 5 લોકોના મોત થયા હતા. 

રાષ્ટ્રપતિએ લોકોને અપીલ કરી છે કે લોકો ગમે તે પાર્ટીના હોય તે તાત્કાલિક હિંસાને રોકે, નાગરિકોની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવે. 

પૂર્વ પીએમ દેશ છોડીને ભાગશે?
લોકો કહી રહ્યા છે કે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષે દેશ છોડીને ભાગી શકે છે ત્યારે તેમના દીકરા નમલે મીડિયાને જાણકારી આપી હતી કે મારા પિતા સુરક્ષિત છે છે તેઓ પરિવાર સાથે વાત કરી રહ્યા છે. તેઓ ક્યાંય જવાના નથી. 

કેમ થઈ આવી હાલત? 
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી શ્રીલંકામાં આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, લોકોને ખાવાના પણ ફાંફાં પડ્યા હતા તે બાદ  દેશમાં સરકાર સામે હિંસક પ્રદર્શન થયા અને ભારે દબાણ બાદ પ્રધાનમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ચાર દિવસ પહેલા જ દેશમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ભારત પણ આ પરિસ્થિતિમાં શ્રીલંકાને બનતી સંપૂર્ણ મદદ પહોંચાડી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ