પહેલવાનોનું કોકડું ઉકેલવા માટે આજે તેમની અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચે 5 કલાક ચાલેલી બેઠક પોઝિટીવ રહી છે.
પહેલવાનો અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચે ચાલી 5 કલાક બેઠક
મુખ્યત્વે 3 મુદ્દે સહમતિ સધાઈ
15 જુન સુધી પહેલવાનો ધરણા ન કરવા સંમત
કુસ્તી સંઘના ચીફ બ્રજભૂષણ સિંહની ધરપકડ કરવાના મામલે ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચે આજે પાંચ કલાક બેઠક યોજાઈ હતી. બેઠક પોઝિટીવ રહી હતી.
"A very positive discussion was held with the (protesting) wrestlers. They have demanded that the investigation (on charges against WFI President Brij Bhushan Sharan Singh) be concluded and chargesheet be filed by June 15," says Union Minister Anurag Thakur after meeting with… pic.twitter.com/MWkSt5NMWI
બેઠક બાદ શું બોલ્યાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુર
બેઠક બાદ મીડિયાને સંબોધતા ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કુસ્તીબાજો સાથે હકારાત્મક વાતચીત થઈ હતી. સરકારે ખુલ્લા મનથી તમામ વિષયો પર વાત કરી હતી. પહેલવાનો 15 જૂન સુધી પ્રદર્શન નહીં કરે. ખેલાડીઓએ કેસ પાછો ખેંચવાની માંગ કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, મહિલા કુસ્તીબાજોને સુરક્ષા આપવામાં આવશે.
બેઠકમાં કયા મુદ્દે સધાઈ સહમતિ
અનુરાગ ઠાકુરે કહ્યું કે, બેઠકમાં કેટલાક મુદ્દે વાત થઈ છે અને સંમતિ પણ અપાઈ છે જેમાં આરોપી બૃજભૂષણ સામે 15 જુન સુધીમાં ચાર્જશીટ ફાઈલ થશે તેમજ 30 જુન સુધીમાં કુસ્તીસંઘની ચૂંટણી પૂરી થઈ જશે. તે ઉપરાંત કુસ્તી ફેડરેશનની એક આંતરિક ફરિયાદ સમિતિની રચના પણ થશે અને તેની આગેવાની મહિલાને સોંપાશે.
#WATCH | I had a long 6-hour discussion with the wrestlers. We have assured wrestlers that the probe will be completed by 15th June and chargesheets will be submitted. The election of WFI will be done by 30th June: Union Sports Minister Anurag Thakur after meeting wrestlers pic.twitter.com/9hySRefxNM
15 જુન સુધી પહેલવાનો નહીં કરે કોઈ પ્રદર્શન-સાક્ષી મલિક
આ બેઠક બાદ સાક્ષી મલિકે કહ્યું કે, સરકારે પોલીસ તપાસ પૂરી કરવા માટે 15 જૂન સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન કુસ્તીબાજો બિલકુલ પ્રદર્શન નહીં કરે. બજરંગ પુનિયાની આગેવાનીમાં કુસ્તીબાજોએ ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે મહત્વની બેઠક કરી હતી. સરકારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના વિદાય લઈ રહેલા પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંઘની ધરપકડની માગ સાથે આંદોલન કરી રહેલા કુસ્તીબાજો સાથે સમાધાન સાધવાના પ્રયાસો જારી રાખ્યા છે. આ મુલાકાત આ એપિસોડમાં થઈ હતી.
Chargesheet to be filed by June 15: Anurag Thakur on FIR against WFI chief Brij Bhushan Sharan Singh
ગઈ કાલે પહેલવાનો અમિત શાહને પણ મળ્યાં હતા
આ બેઠક પહેલા કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજોના કથિત જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા બ્રજ ભૂષણની ધરપકડની માગણી સાથે કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર ધરણા આપી રહ્યાં છે.