કેબિનેટ બેઠક બાબતે પ્રવકતા મંત્રી જીતુ વાઘણીએ લેવાયેલા નિર્ણય પર માહિતી આપતા કહ્યું હતું કે રાજ્યમાં ૧૦ કરોડનો ડોઝ ખૂબ મોટી સિદ્ધિ રાજ્ય સરકારે પ્રાપ્ત કરી છે
દરરોજ ત્રણથી ચાર લાખ વેકસીન ડોઝ અપાયા છે. ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓ ને મુખ્યમંત્રીએ વિશેષ અભિનંદન પાઠવ્યા છે.
વન વિભાગની ભરતી પર નિવેદન
વધુમાં સરકારી ભરતી અંગે નિવેદન આપ્યું હતું કે કોરોનાની લીધે ભરતી પ્રક્રિયા અટકી હતી. વન વિભાગ દ્વારા આ 334 જગ્યા ઉપર વન રક્ષક ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. 775 જેટલી વન રક્ષકની વધારાનીની ભરતી થાય એ પ્રકારનું વન વિભાગે આયોજન કર્યું. જે-તે વખતની ઉંમરને ધ્યાને રાખી તેમજ પછાત વર્ગને 10 ટકા અનામતનો લાભ આપી ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ૭૦ જેટલા ક્લાસ વન કલાસ ટુ અધિકારીઓની સ્પીપા ખાતે ચિંતન શિબિર શરૂ થઈ છે.
ગરીબ કલ્યાણ મેળાની તારીખ જાહેર
ગુજરાત સરકાર આગામી ફેબ્રુઆરીની 24, 25, 26 તારીખે ગરીબ કલ્યાણ મેળો યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. દાહોદ, મોરબી અને અમરેલીમા મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહેશે. વિવિધ સાધન સહાય તેમજ 2 લાખથી વધુ સાયકલનો લાભ ગરીબોને અપાશે,
નવસારી જિલ્લાથી મહેસુલ મેળાની શરૂઆત: રાજેન્દ્ર ત્રિવેદી
ગુજરાત સરકારના પ્રવક્તા અને કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના વિભાગ દ્વારા મહેસૂલી મેળાના આયોજન વિશે નિવેદન આપતા કહ્યું હતું કે મહેસુલ મેળાનુ આયોજન કરવાનો સરકારનો નવતર પ્રયોગ છે. લોકોને નાના-મોટા પ્રશ્નો માટે ગાંધીનગર નહી આવવુ પડે. વિભાગને લગતા પ્રશ્નોના નિકાલ માટે મહેસુલ વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે.નવસારી જિલ્લાથી મહેસુલ મેળાની શરૂઆત થશે. લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લવાશે. માપણીની નોંધનો પ્રશ્નો વધુ હોય છે જેના માટે રી-સર્વેની કામગીરી ચાલુ રહેશે. ચાલુ વર્ષના અંત સુધીમા મોટાભાગના પ્રશ્નો હલ થઈ જશે. 3 માસમાં જમીન રી-સર્વેના 3 હજાર કેસનો નિકાલ કરવામાં આવ્યો છે તેવી જાણકારી આપતા કહ્યું હતું કે સંપૂર્ણ ઉકેલ ન આવે ત્યા સુધી પ્રક્રિયા ચાલુ રહેશે
ચેરીટીના 18 હજાર કેસનો નિકાલ થયો
ગુજરાતી કેવું માત્ર રાજ્ય છે જેમાં ચેરિટી કમિશનર નું કોર્ટનું સંકુલ હોય જેમાં ચેરીટીના 18 હજાર કેસનો નિકાલ થયો છે. જણાવી દઈએ કે ગુજરાતમાં 3 લાખ 24 હજાર જેટલા ટ્રસ્ટ છે. ટ્રસ્ટ એક્ટ હેઠળનાના કેસો કોવિડ કાળ દરમિયાન દિવસના 800 કેસનો નિકાલ થયો છે. ટ્રસ્ટના 4 કરોડ દસ્તાવેજ ડિજિટલ કરવામાં આવ્યા છે
જામનગર અને કાલાવડ પંથક માટે જાહેરાત
ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ-નાળા-કોઝવે તથા પુલ ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ પંચાયત હસ્તકના રસ્તાઓ પર હયાત કોઝવે તથા નાળા પર નવા પુલ તથા સી.ડી.વર્કસ બનાવવાની યોજના હેઠળ કામો મંજુર કરી જોબ નંબર ફાળવાયા. જામનગર અને કાલાવડ તાલુકાના કોઝવે-માઈનોર બ્રીજ તથા પુલ અને પ્રોટેક્શન વોલ નવીનીકરણની કામગીરી માટે રૂ.૩૫.૦૦ કરોડના કામો મંજુર કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.