ફૂડથી બનતી એનર્જી માટે એક કેમિકલ રિએક્શન હોય છે, જેને મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. શરીરની પ્રત્યેક કોશિકાઓમાં મેટાબોલિઝમની પ્રક્રિયા થાય છે.
મેટાબોલિઝમ યોગ્ય પ્રકારે થાય તો શરીર હંમેશા સ્વસ્થ રહેશે
રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો શરીર તંદુરસ્ત રહે છે
નેચરલ ફૂડથી મેટાબોલિઝમ મજબૂત બને છે
જ્યારે પણ ભોજન કરવામાં આવે ત્યારે તે ભોજનનું પાચન થાય ત્યારે તેમાંથી પોષકતત્ત્વોની પ્રાપ્ત થાય છે. આ પોષકતત્ત્વોથી શરીરને ઊર્જા પ્રાપ્ત થયા છે. જ્યારે પણ કામ કરીએ, વિચારણાં કરવામાં આવે ત્યારે શરીરના જે અંગોનો વિકાસ થાય છે, તે ઊર્જાથી વિકાસ થાય છે. ફૂડથી બનતી એનર્જી માટે એક કેમિકલ રિએક્શન હોય છે, જેને મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. શરીરની પ્રત્યેક કોશિકાઓમાં મેટાબોલિઝમની પ્રક્રિયા થાય છે. મેટાબોલિઝમ યોગ્ય પ્રકારે થાય તો શરીર હંમેશા સ્વસ્થ રહેશે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો શરીરને બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. નેચરલ ફૂડથી મેટાબોલિઝમ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
પાલક-
મીડિયા રિપોર્ટ અનુસાર જે ફૂડમાં ઝિંકની માત્રા વધુ હોય છે, તેનાથી મેટાબોલિઝમ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પાલક ખૂબ જ મહત્ત્વપૂર્ણ શાકભાજી છે. 100 ગ્રામ પાલકમાં 0.53 મિલીગ્રામ ઝિંક હોય છે. પાલકનું અન્ય શાકભાજીમાં મિશ્રણ કરીને તેનું સેવન કરી શકાય છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
મશરૂમ-
મશરૂમ એક સુપરફૂડ છે અને તેમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો રહેલા છે. મશરૂમમાં પર્યાપ્ત માત્રામાં ઝિંક હોય છે, ઉપરાંત અનેક પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા છે, જે સેલને ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ પ્રદાન કરે છે.
એસ્પૈરાગસ-
એસ્પૈરાગસ ફ્લેવરયુક્ત શાકભાજી છે, જેમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે. 100 ગ્રામ એસ્પૈરાગસમાં 0.54 મિલીગ્રામ ઝિંક હોય છે. એસ્પૈરાગસ સ્ટીમ કરીને તથા ગ્રિલ કરીને પણ સેવન કરી શકાય છે.
બ્રોકલી-
ફુલાવરથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. 100 ગ્રામ બ્રોકલીમાં 0.40 મિલીગ્રામ ઝિંક હોય છે. બ્રોકલીમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે, જે શરીરને અનેક પ્રકારના ફાયદા પ્રદાન કરે છે.
વટાણા-
વટાણામાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો રહેલા છે. 100 ગ્રામ વટાણામાં 1.24 મિલીગ્રામ ઝિંક રહેલું છે. વટાણા એક એવું શાકભાજી છે, જે અલગ અલગ શાકભાજીમાં મિશ્ર કરીને તેનું સેવન કરી શકાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)