કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને ગત રોજ એક કાર્યક્રમમાં સ્વીકાર્યું કે તે અત્યંત સંકોચ સાથે હિન્દી બોલે છે.
હિન્દી બોલતા કંપારી છુટી જાય છે:નાણાંમંત્રી
હિન્દી વિરુધ્ધ હિંસક વિરોધ પણ જોયો
કાર્યક્રમમાં પણ 35 મિનીટથી વધુ હિન્દીમાં ભાષણ આપ્યું
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને ગત રોજ એક કાર્યક્રમમાં જણાવ્યુ કે હિન્દી બોલવાથી તેઓને કંપારી છુટી જાય છે અને આ ભાષા પર તેઓ ખચકાટ સાથે બોલી શકે છે. હિન્દી વિવેક પત્રિકાના કાર્યક્રમમાં સીતારમણે એક અભૂતપૂર્વ વક્તાની જાહેરાતનો ઉલ્લેખ કર્યો જેમાં મંત્રી સીતારમણે કહ્યું કે લોકોને હિન્દીમાં સંબોધવાથી તે કંપારી નાંખે છે.
પસંદગીની ભાષાને કારણે શિષ્યવૃતિ આપવામાં ન આવી
સીતારમણે કહ્યું કે તેણીને જન્મ તમિલનાડુંમાં થયો હતો અને હિન્દી વિરુધ્ધ હિંસક વિરોધ પણ જોયો હતો. કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે જે વિધાર્થીઓએ તેમની હિન્દી ભાષા તરીકે હિન્દી અથવા સંસ્કૃતને પસંદ કર્યું છે તેઓ પણ મેરીટ લીસ્ટમાં આવ્યા છે તેમને તેમની પસંદગીની ભાષાને કારણે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ આપવામા આવી નથી.
નાણાંમંત્રીએ ભાષણ હિન્દીમાં જ આપ્યું
સીતારમણે કહ્યું કે પુખ્ત બન્યા પછી વ્યક્તિ માટે નવી ભાષા શીખવી મુશ્કેલ છે. પરંતું તે તેના પતિની માતૃભાષા તેલુગુ શીખી શકે છે. જો કે ભૂતકાળના ધટનાઓને કારણે હિન્દી શીખી ન હતી. તેણીએ સ્વીકાર્યું કે તે ખૂબ જ સંકોચ સાથે હિન્દી બોલે છે. તેણીએ સ્વીકાર્યું કે તે તેને ખૂબ જ અસર કરે છે. જો કે નાણામંત્રીએ પોતાનું ભાષણ હિન્દીમાં જ આપ્યું હતું. જે 35 મિનીટથી વધુ ચાલ્યું હતું.
ભાષણમાં કોંગ્રેસ સામે તાક્યું નિશાન
સીતારમણે ભાષણમાં કોંગ્રેસ સામે નિશાન તાકતા કહ્યું હતું કે ભારત પહેલાથી જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન હાંસલ કરી શકે છે. પરંતું સમાજવાદના આયાતી ફીલસુફીને કારણે તે થઈ શક્યું નથી જે કેન્દ્રીય આયોજન પર આધાર રાખે છે. તેમણે 1991 ની તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવેલા આર્થિક સુધારાઓને અર્ધ-હ્દયના સુધારા તરીકે ગણાવ્યા હતા. જ્યા અર્થવ્યવસ્થા યોગ્ય રીતે નહીં પરંતું આઈએમ એફ દ્વારા લાદવામાં આવેલી કડકતા અનુસાર ખોલવામાં આવી હતી.