દેશમાં લોકસભાનો મહા પર્વ ઉજવાઇ રહ્યો છે, એકબીજા પક્ષ પર પ્રહારો થઇ રહ્યા છે. પોતાની જીત હાસિલ કરવા નેતા તનતોડ મહેનત કરી રહ્યા છે. જ્યારે વધુ ભાજપના નેતા નરેશ અગ્રવાલે સપા અને બસપાના ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે.
ભાજપના નેતા નરેશ અગ્રવાલે સપા અને બસપાના ગઠબંધન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થશે ત્યારે માયાવતી અખિલેશનો સાથ છોડી દેશે. સપા અને બસપાનું ગઠબંધન ચૂંટણી પરિણામ જાહેર થતા જ તૂટી જશે.
બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષા માયાવતી ખુજ જ અખિલેશ યાદવનો સાથ છોડી દેશે.. ઉલ્લેખનીય છે કે, નરેશ અગ્રવાલ પહેલા સપાના નેતા હતા. તેઓએ યૂપીના હરદોઈમાં આ વાત કરી હતી. નરેશ અગ્રવાલે રેલીને સંબોધન કરતા કહ્યું કે, 23 મેના રોજ જ્યારે ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે તેના આગલા દિવસે જ માયાવતી અખિલેશનો સાથ છોડી દેશે અને અખિલેશ યાદવ રસ્તા પર દોડતા નજરે પડશે.
તર્ક આપતા નરેશ અગ્રવાલે કહ્યું કે, લોકસભા ચૂંટણીનું પરિણામ 23મી મેના રોજ આવશે. જે બાદ 24 મેના રોજ માયાવતી એવું કહીને ગઠબંધન તોડવાનું એલાન કરશે કે તેઓને મુસ્લિમ અને યાદવોએ સમર્થન આપ્યું નથી. જે બાદ અખિલેશ રસ્તા પર દોડતા નજરે પડશે.