તાલિબાને ભારત સરકારને પત્ર લખી અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે એર સેવા ફરી શરુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
અફઘાનિસ્તાન અને ભારતની વચ્ચે ઉડાન સેવા ફરી શરુ કરવાની તાલિબાનની ઈચ્છા
તાલિબાને આ મામલામાં ભારત સરકારને પત્ર પણ લખ્યો
કતારના ટેક્નિકલ સપોર્ટથી અફઘાનમાં એરપોર્ટ ફરી ચાલૂ કરી દેવામાં આવ્યું
તાલિબાને આ મામલામાં ભારત સરકારને પત્ર પણ લખ્યો
તાલિબાન સરકારે અફઘાનિસ્તાન અને ભારતની વચ્ચે ઉડાન સેવાને ફરી શરુ કરી દેવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. ANIના સમાચાર અનુસાર તાલિબાને આ મામલામાં ભારત સરકારને પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનમાં નાગરિક ઉડ્ડયન પ્રાધિકરમના કાર્યવાહક મંત્રી હમીદુલ્લાહ અખુનઝાદાએ ભારતના નાગરિક ઉડ્ડયન (DGCA)ના મહાનિર્દેશક અરુણ કુમારને પત્ર લખ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન આ પત્ર પર વિચાર કરી રહ્યું છે.
પત્રમાં શું લખ્યું
અખુનજાદાએ ડીજીસીએ લખ્યું જેવું કે તમે સારી રીતે જાણો છો કે કાબૂલ એરપોર્ટને અમેરિકન ફોર્સિસે નુકસાન પહોંચાડ્યું હતુ અને તેને નિષ્ક્રિય કરી દીધુ હતુ. પરંતુ અમારા મિત્ર કતારના ટેક્નિકલ સપોર્ટથી આ એરપોર્ટને એકવાર ફરી ચાલૂ કરી દેવામાં આવ્યું છે. આ સંબંધમાં એક NOTAM(એરમેનને નોટિસ) 6 સપ્ટેમ્બર 2021એ જારી કરી દીધી હતી.
ભારતે નથી આપી તાલિબાનને માન્યતા
ભારતે તાલિબાનની સરકારને હજું સુધી માન્યતા નથી આપી. જો કે દોહામાં કતારમાં ભારતમાં રાજદૂત દીપક મિત્તલ અને તાલિબાની નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટાનકઝઈ મુલાકાત કરી ચૂકી છે. અમેરિકન ફોર્સના ગયા બાદ તાલિબાનના 30 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો. ભારતથી કાબૂલ માટે છેલ્લી ફ્લાઈટ 21 ઓગસ્ટે નાગરિકોને એરલિફ્ટ કરવા ગઈ હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ પહેલા દુશાંબે અને નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી.