BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઇસ્કૉનના કોલકાતા કેન્દ્રની મદદ કરીને આશરે 10000 લોકોના ભોજનની વ્યવસ્થા કરી છે. કોલકાતા ઇસ્કૉનમાં આશરે 10000 લોકોને ભોજન આપી રહ્યુ હતુ, માસ્ક અને ગ્લવ્સ પહેરીને ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઇસ્કૉન આવીને મદદનો વાયદો કર્યો.
ઇસ્કૉન કોલકાતાના પ્રવક્તા અને ઉપાધ્યક્ષ રાધારમન દાસે કહ્યુ કે, ''અમે રોજ 10000 લોકોનું જમવાનું બનાવી રહ્યા હતા. સૌરવ દાદાએ અમારી મદદ કરી અને હવે અમે રોજ 20000 લોકોને ખાવાનું આપી રહ્યા છે.''
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રામકૃષ્ણ મિશનના મુખ્ય કાર્યાલય વેલૂર મઠ પહોંચ્યા હતા જ્યાં તેમણે કોરોના વાયરસની મહામારીથી કારણે મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે 2000 કિલો ચોખાનું દાન કર્યુ.
Visited belur math after 25 years .. handed over 2000kgs of rice for the needy pic.twitter.com/FcIqHcWMh7
સૌરવ ગાંગુલીએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, ''25 વર્ષ પછી વેલૂર મઠ આવ્યો છું. જરૂરિયાતમંદોની મદદ માટે 2000 કિલો ચોખા આપી રહ્યો છું.''
NEWS : BCCI to contribute INR 51 crores to Prime Minister @narendramodi ji's Citizen Assistance and Relief in Emergency Situations Fund
રોના વાયરસ સામે ચાલી રહેલી આ જંગમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ જોડાયપ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી રિલીફ ફંડ ખાતે 51 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યુ છે.